કલા ના કલાધરો ને વંદન,,,,,,,,,,,
કલા ના રંગમંચ માં, કંઇક આવી ને કંઇક ગયા,
કોઇક પુણ્યશાળી આત્મા, જીવન પણ તરી ગયા,
કોઇક ખેલ માની ખેલી ગયા, તો કોઇ પાત્ર મહાન ભજવી ગયા,
કોઇએ મન થી માન્યાં મહાન, તો કોઇક અમર પણ થઇ ગયા,
હસાવ્યા ઘણા ને રડાવ્યા પણ ઘણા,અને લડાઇ ખુબ લડી ગયા,
વળી વિધ વિધ ભજવી વેષ, અને ખેડા અનેક ખપી ગયા,
સત્ય અને અસત્ય ની વાત,એ તો જાહેર ચોક માં પીરસી ગયા,
અંતે કલા ના એ વારસદારો, કલા ને સમર્પિત થઇ ગયા
રચના,,,,,,
રાજેશભાઇ એસ કુકરવાડિયા
ધ્રુવનગર, મોરબી
ભવાઇ એક ભક્તિ,,,,,,
ભવાઇ
છે
એક
ભક્તિ,જેની
ઉમિયા
બહુચર
શાખ,
વિપતે
આવે
દોડતી
માઁ,અને
રહેતી સદાય સાથ,
સિંહ
અસવારી
શોભતી,એને
આવતા
ન
લાગે
વાર,
અજાણ્યા
ઉતારા
અમ
તણા
માઁ
રક્ષણ
કરતી
હરવાર,
બહાર
વાસનો
વ્યવસાય
અમારો, તારા ઉપરાણા
થી
જ઼
થાય,
એક
તારા
વિશ્વાસે
ફરતા
અમે
તેથી
જ઼
મુસીબત
ન
થાય
તેલ
ના
દીવે
તેજ
પ્રકાશતી
અને
આપતી
અમને
ઉજાસ,
રાતદીન
એક
કરી
ને
અમે
જગત
ને
આપ્યો
વિશ્વાસ,
કુરિવાજો
દૂર
કરાવ્યા
માડી,
એ
તારો
જ઼
છે
પ્રતાપ,
કાળા
માથા
ના
માનવી
અમે
માડી
અમારી
શું
વિસાત
?
ભવાઇ
કેરી
ભક્તિ
અમારી
અને
તું
જ઼
અમારી
શક્તિ,
કરે
ભાલા
ના
ઘા
તો
તું
સોય
ની
અણી
એ
ઝીલતી
અનેક
દાખલા
છે
તારી
હાજરી
ના
છે
ભવાઇ
માં
પ્રમાણ,
ભાવે
ક
ભાવે
ભજીએ
માડી
તોય તું જ઼
પુરતી
પ્રાણ
બાળક
અમારા
નોધારા
રઝળે
માડી
તું
જ઼
એનો
આધાર,
દેશ
વિદેશ
રઝળતા
અમે
કરી
એ નહીં ઘર
ની
અમે
પરવાર
ભગવતીએ રાખી કાયમ લાજ,,,
ઔદીચ્ય બ્રહ્મકુળ દીપાવીયુ,
ગાયાં વેદ શાસ્ત્ર ના ગાન,
સંગીત અને સુર થકી જગતમાં
વધારી સંસ્કૃતિ કેરી શાન
ઈજ્જત બચાવી દીકરી તણી,
ત્યારે વટલાવી અમે જાત,
નાયક, ભોજક અને વ્યાસ પાસે
હતી ત્યારેય સત્ય ની વાત,
ભક્તિ કરી માઁ ભગવતી ની,
આપ્યા અમર વરદાન,
જાતર આપી એમને તારીયા
વળી વધ્યા જગમાં માન,
તેલ ના દીવે માં રક્ષણ કરે
રાખે ચાચર ની લાજ,
ભીડ પડે ભેગી રહે સદાય
મારી કુકડા વાળી માત,
સમાજ સુધારક જગે જાણ્યા,
કરતા કાયમ સાચી વાત,
નિરક્ષર થયા સાક્ષર સાબિત,
લોકો દિલ થી આપતા સાથ
સાશનો અનેક બદલતા રહ્યા,
જેમાં ભવાઇ રહી નેક,
દરેક યુગ નું માન્ય મનોરંજન
સ્વીકારતા સમાજ હરેક
આધુનિક યુગ માં ઉજાસ વધ્યો,
ભવાઇ ના પણ વધ્યા તેજ,
મનોરંજન જુના ઘણા લુપ્ત થયા
પણ ભવાઇ નું એક જ઼ તેજ
રાખી છે એમજ રાખજે માઁ
તારા બાલુડા કેરી લાજ,
ભવાઇ તેજ કાયમ અખંડ રહે
એવુ રાજેશ વિનવે આજ

રાગ,,,,,,,, ઉમિયાજી ને તાત અસાઈત સમરે
બહુચરાજી ને તાત અસાઈત સમરે ,
પુરુષ નું તત્વ માડી તમારા શરણે,
ભવાઈ નું વરદાન માઁ ઉમિયા એ આપીયું,
મનડું મારુ ત્યારે મૂંજાવા લાગીયુ,
બાળક ની રક્ષા કરવા ને કાજે,,,,,,,
બહુચરાજી ને તાત અસાઈત સમરે ,
પુરુષ નું તત્વ માડી તમારે શરણે,
ચૂડી ચાંદલો ને ઝાંઝરી નો ઝણકાર
દિલ માં થાયે માઁ જુદો કાંઈ રણકાર,
વંશવેલો અમર રાખવા અમારો,
બહુચરાજી ને તાત અસાઈત સમરે,
પુરુષ તત્વ માડી તમારે શરણે,
વરદાન આપીયું બહુચરાજી માં એ
ચૂંદડી ઓઢી ને વધાવજો બાળ ને,
અમર વંશ વેલો રાખું તમારો,
બહુચરાજી ને તાત અસાઈત સમરે,
પુરુષ નું તત્વ માડી તમારે શરણે,
રાજેશ ગુણલા ગાયે ભવાઈ ના,
આશિષ ઉમિયા બહુચરાજી માત ના,
ચાચર ના ચોક માં રમવા માઁ આવતા,
બહુચરાજી ને તાત અસાઈત સમરે,
પુરુષ નું તત્વ માડી તમારે શરણે,

જય માતાજી,, જય અસાઈત,,
સદીઓ થી ઝળહળતી દિવ્ય જ્યોત એટલે લોક ભવાઇ,,,,,,,,
લોક ભવાઇ એ અસાઈત દાદા દ્વારા પ્રગટાવેલ એક એવી અખંડ દિવ્ય જ્યોત છે કે ચૌદમી સદી થી આજ એકવીસમી સદી સુધી સતત એકધારી ભવાઇ કલા, કલાકારો અને દરેક સમાજ ને પ્રકાશ અને ઉર્જા પુરનારી સંસ્કૃતિ અને કલા માહીની માત્ર એક કલા હોય તો તે છે લોક ભવાઇ
ચૌદમી સદી થી આજ સુધી માં કંઈક શાસનો ફેરફારો થયા , કઈક સતાઓ બદલાણી હશે, મોગલો નું શાસન, અંગ્રજો નું શાસન, રજવાડાઓ નું શાસન, લોકશાહી માં પણ અનેક સતાઓ નો બદલાવ આવ્યો હશે
પરંતુ લોક ભવાઇ ને દરેક શાસન માં પ્રોત્સાહન મળ્યું છે હાલ માં લોકો માં માન સન્માન
સાથે ભવાઇ નું ખુબ જ઼ મહત્વ છે
લોક ભવાઇ એ એક એવી હરતી ફરતી યુનિવર્સીટી અને ઝળહળતી દિવ્ય જ્યોત છે કે જેના થકી અનેક પરિવારો ના જીવન માં નવો પ્રકાશ, નવી ઉર્જા અને નવું જીવન મળ્યું છે
ભવાઇ થકી દીકરી ઓ ના વેચાણ જેવા કુરિવાજો ઉપર પ્રકાશ પાડવા માં આવ્યો પરિણામ સ્વરૂપે દીકરી ઓ ના વેચાણ બંધ થયા
અંદરોઅંદર ના કુસુંપો પણ ભવાઇ દ્વારા દૂર કરી ઘણા પરિવાર માં નવા પ્રાણ પુરવા માં પણ ભવાઇ નું યોગદાન રહ્યું છે
અજ્ઞાન અને અંધકાર રૂપી કુ રિવાજો સામે ભવાઇ ની દિવ્ય જ્યોત પ્રગટાવી લોકો ના જીવન માં ઉજાસ પાથરવા નું અણમોલ કાર્ય ભવાઇ દ્વારા થયું છે
ભવાઇ ની આ દિવ્ય જ્યોત સદાય ઝળહળતી રહે તેવી માતાજી ને પ્રાર્થના,,,,

ભવાઈગીત,,,,, હાલરડું
મારે આંગણીયે અસાઈત બાળ રમે,
અસાઈત બાળ રમે, ઉમિયા માઁ ને ગમે,,,,
અસાઈત બાળ રમે, ભૂંગળ નાદ કરે,
મારે આંગણીયે અસાઈત બાળ,,
ચૂડી ને ચાંદલિયો, માઁ ને ચૂંદડી ચડે,
માઁ ને ચૂંદડી ચડે, ઘૂઘરા બહુ રે ઘૂમે,
મારે આંગણીયે અસાઈત બાળ,,,
ઉમિયા બહુચર નું, નાયકો ઓઢણું ઓઢે,
નાયકો ઓઢણું ઓઢે, માઁ ની જાતર કરે,
મારે આંગણીયે અસાઈત બાળ,,
ભક્તો પ્રસાદ ધરે, બ્રાહ્મણો ભોજન કરે,
બ્રાહ્મણો ભોજન કરે, અંતર આશિષ ભણે,
મારે આંગણીયે અસાઈત બાળ,,,
યજમાન આંગણીયે, રાજેશ લાડ કરે
રાજેશ લાડ કરે, માઁ ને ચરણે નમે,
મારે આંગણીયે અસાઈત બાળ,
આવો જાણીએ ભવાઇ વિશે અવનવી રસપ્રદ વાતો,
ભવાઇ એક એવી ભાતીગળ લોક કલા છે જેની ઉત્પતી ચૌદમી સદીમાં થયેલ અને તમામ સૈકા ઓ માં લોકોએ સ્વીકારી અને હાલ એકવીસમી સદીમાં પણ ભવાઇ સવાઈ સાબિત થઇ છે
ભવાઇ નું સંગીત લોકોને તમામ પ્રકાર ના સંગીત થી અલગ પ્રકાર નું અને શ્રેષ્ઠ લાગે છે,
ભવાઇ કલા લોકો ના માનસ ઉપર સીધી અસર કરે છે જેના અનેક દાખલા ઓ આપણ ને ભવાઇ ના ઇતિહાસ માં જોવા અને જાણવા મળે છે
માણસ ના માનસ પટ ઉપર સીધી અસર કરતા, અંદરોઅંદર ના કુસુંપો, દીકરી ઓ ના વેચાણ, વ્યસન, તેમજ ઘણા પ્રકાર ના કુ રિવાજો ભવાઇ ના માધ્યમ થી દૂર થયા ના અનેક દાખલા ઓ છે
ભવાઇ એ સમાજ સુધારણા અને જન જાગૃતિ માં ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે અસાઈત ઠાકર ને એ સમય ના આદ્ય શિક્ષણકાર તરીકે ઓળખવા માં આવે છે
ભવાઇ એ માતાજી ની ભક્તિ હોવાથી લોકો ના અનેક પ્રકાર ના દુઃખ દર્દ દૂર કરવાના પણ અસંખ્ય દાખલા ઓ ભવાઇ માં છે
દીકરી ની આબરૂ અને ઈજ્જત બચાવવા માટે ના અનેક બલિદાન ના દાખલા ઓ પણ છે પરંતુ એક દીકરી ની આબરૂ ખાતર જો કોઇ એક આખા સમાજ નું બલિદાન હોય તો એ માત્ર નાયક ભોજક વ્યાસ જ્ઞાતિ ( અસાઈત વંશજો ) નું છે
ભવાઇ ની ઉજળી કલા પીરસતા પીરસતા પોતાના યજમાન ના હિત ખાતર પાળિયા થઇ ગયા ના ઇતિહાસ પણ મોજુદ છે
ભવાઇ કલાકારો નો ચાહક વર્ગ ત્યાં સુધી નો છે કે છેલ્લી અવસ્થા માં છેલ્લા શ્વાસ છોડતા પહેલા ભવાઇ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે જે આજ સુધીના ઇતિહાસ માં બીજી કોઇ કલા માં લગભગ શક્ય નથી
આવી અનેક રસપ્રદ ઘટનાઓ થી ભરપૂર છે લોક ભવાઇ
વધુ આવતા અંક માં,,,,,
ભવાઈ નું ગૌરવ ન ભૂલીએ,
નાયક, ભોજક, વ્યાસ જ્ઞાતિ ને રાજેશભાઇ કુકરવાડિયા ની વિનમ્ર અરજ
ભવાઈ ગૌરવ ન વિસરીએ,
મ્હેર છે માતાજી ની, ભલે સુખ સંપત્તિ માં આળોટીએ, બદલાય રહ્યો છે સમય, ભલે સમય સાથે તાલ મિલાવી એ
પણ ભવાઈ ગૌરવ ન વિસરીએ
ઉચ્ચ એજ્યુકેશન મેળવો, ડિગ્રી મેળવો મોટી, પ્રગતિ ના પંથે ડગ ભરો, ભલે વ્યવસાય કરો મોટા
પણ ભવાઈ ગૌરવ ન વીસરીએ
જન્મ થયો જે જ્ઞાતિ માં એનું રુણ કેમ ભૂલીએ,
ભલે આવે અનેક પડકારો પણ
ભવાઈ ગૌરવ ન વીસરીએ,
ઔદીચ્ય બ્રહ્મકુળ, છઠું પદ સોહાવતાં, આબરૂ રાખી દીકરી તણી ઉજળો છે ઇતિહાસ
એ ભવાઈ ગૌરવ ન વીસરીએ
ભગવતી જેમાં ભેળી રહે, એવો વ્યવસાય ક્યાં નિહાળીએ ? હજુ પણ ઉપરાણું છે ઈશ્વરી તણું
ભવાઈ ગૌરવ ન વીસરી

ભવાઈ એટલે શું ?
માતાજી પ્રસન્ન જેમાં થાય
એ અમારી ભવાઈ
જે કલા એકમાત્ર વરદાય
એ અમારી ભવાઈ
દાદા અસાઈત ગુણલા ગાય
એ અમારી ભવાઈ
ભક્તિ ભગવતી ની થાય
એ અમારી ભવાઈ
જાતર માતાજી ની ગણાય
એ અમારી ભવાઈ
જેમાં જોનારા ની સવાઈ
એ અમારી ભવાઈ
જે માં કલા સર્વ સમાય
એ અમારી ભવાઈ
જે માં અભદ્ર ન બોલાય
એ અમારી ભવાઈ
સહ પરિવાર સાથે જે જોવાય
એ અમારી ભવાઈ
માધ્યમ જનજાગૃતિ નું ગણાય
એ અમારી ભવાઈ
સમાજ સુધારા માં વખણાય
એ અમારી ભવાઈ
ગુણ જેના વિશ્વ માં ગવાય
એ અમારી ભવાઈ
ઇતિહાસ ઉજળો કહેવાય
એ અમારી ભવાઈ
દર્શન સંસ્કૃતિ ના થાય
એ અમારી ભવાઈ
કોઈ થી તોલી ન તોલાય
એ અમારી ભવાઈ
રાજેશ ભવાઈ આજે છે સવાઈ
એ અમારી ભવાઈ
મને ગૌરવ છે એ વાત નું, કે હું અસાઈત કુળ નો વંશજ છુ,
ઔદીચ્ય બ્રાહ્મકુળનો,વેદ શાસ્ત્ર નો જ્ઞાની છું,
કર્મ કાંડ જાણનારો,હું છઠા પદ નો બ્રાહ્મણ છુ,
મને
ગૌરવ
છે
એ
વાત
નું
કે
હું,અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
વેદ
શાસ્ત્ર
નું
જ્ઞાન
,સંગીત
સાથે
ગાનારો
છુ,
સત્ય
વાત
સંસાર
માં,હું
પ્રેમ
થી
પિરસનારો
છુ,
મને ગર્વ
છે
એ
વાત
નો
કે,
હું
અસાઈત
કુળ
વંશજ
છુ
તેરમી સદી ના ત્રાસ ને ખુબ
જ નજીક થી જાણનારો છુ
મોગલો ના વટ સામે, હું આસને બિરાજનારો છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
આબરૂ
રાખવાબેન
દીકરી
ની
સામે
પુરે
ચાલનારો
છુ
,
વટલાવી
અમ
જાત
ને,
એ
હું ઠાકર કુળ બ્રાહ્મણ છુ,
મને ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
પત રાખી પાટીદાર ની,લાજ શિયળ ની રાખનારો છુ
છૂત અછૂત ના જમાના નો, હું નીડર એક સાવજ છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
વટલાયો
હું
ગર્વ
ભેર,
ઉંઝા
માં
વસનારો છુ,
ત્રિધરા
માંથી
તેર
ઘરા
નો,
હું
નાયક, ભોજક,
વ્યાસ
છુ,
મને ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
પૂજા પાઠ ભક્તિ થી, માઁ ઉમિયા ને પૂજનારો છુ,
હૃદય વસે માઁ ભગવતી, હું વચન થી બંધાણો
છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
કુળદેવી
પાટીદાર
ની,
વરદાયિની
ને
ભજનારો
છુ
,
ઉદ્ધારવા
મુજ
સંતાન
ને,હું
જાતર
અપાવનારો
છું
મને ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
વંશજ
છુ,
ભવાઈ આપી ભવ તરવા, ચૂડી ચાંદલો,ચૂંદડી સંગાથ છુ,
ભૂંગળ વગાડી ચાચર ચોક માં હું ભક્તિ થી ભજનારો છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નું
કે
હું
અસાઈત
કુળ
વંશજ
છુ,
ત્રણસો
સાઈઠ
વેષ
લખી,મતભેદો
મિટાવનારો
છું
મતભેદો
જગત
ના
હું,
અનેક
મિટાવનારો
છુ,
મને ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
ગામડા ના ગોંદરે થી, દેશ વિદેશ માં
ડંકો
વગાડનારો
છુ,
ભવાઈ થકી ભવ તરવા જગત ને હું જ્ઞાન પીરસનારો છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
મનોરંજન
ની
દુનિયા
માં,
સંસ્કૃતિ
ગજાવનારો
છું,
ભવાઈ
ને
કરી
સવાઈ
,હું
કલા
જગત
માં
રોજ
વસનારો
છુ
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
કલા નો વારસો આજ પણ શ્રેષ્ઠ છે,એથી જ હું કલાકાર શ્રેષ્ઠ છુ
આવો સૌ મિલાવો હાથ,કહો હું નાયક,
ભોજક
વ્યાસ
છુ,
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છું
સત્ય
બતાવવા
સમાજ
ને
રાત
દિવસ
મથનારો
છું
વિકાસ
કરવા
સમાજ
નો,આખર
હું
અસાઈત
વંશજ
એક
છુ
મને
ગર્વ
છે
એ
વાત
નો
કે
હું
અસાઈત
કુળ
નો
વંશજ
છુ,
સમસ્ત વ્યાસ નાયક ભોજક જ્ઞાતિ નું ગૌરવ,,,,,અસાઈત દાદા
આજના આ આધુનિક અને ટેક્નોલોજી ના યુગ માં પણ ભવાઈ સવાઈ કઇ રીતે છે આ રહ્યા નક્કર કારણો
અસાઈત દાદા ની ભવાઈ કલા એ અને ભવાઈ કલાકારો સમાજ ને શું આપ્યુ ?
આજ થી આશરે સાડા સાતસો વરસ પહેલા જયારે જયારે મનોરંજન અને લોક જાગૃતિ ના કોઈ માધ્યમો ન હતા એવા સમય માં ભવાઈ દ્વારા ગામડે ગામડે મનોરંજન ની સાથે સાથે જાગૃતિ નો સંદેશ આપતા
અંધશ્રદ્ધા, કુ રિવાજો, વ્યસનો, અંદરોઅંદર ના કુસુંપો અને અનેક પ્રકાર ના દુષણો દૂર કરવા માં ભવાઈ નો મહત્વ નો ફાળો રહ્યો છે
લોકો એ ખોટી સંગત અને બદીઓ થી દૂર રહેવા ભવાઈ ના પાત્રો થકી જેવું હોય એવુ સમાજ ને બતાવ્તા,
એટલે કે એક સમય માં ભવાઈ એક દર્પણ તરીકે ઓળખ થઇ અને આજે પણ દર્પણ ની ભૂમિકા આપી રહ્યું છે
આ વિષે લેખ તો ઘણો મોટો લખ્યો છે મેં પણ અહીં ટૂંક માં રજુ કરું છું
પુરુષ ને થવું સ્ત્રી, હતું ઘણું મુશ્કેલ જીવન માં,
તોય ઓઢણી ઓઢી અમે ઘૂમ્યા ચાચર ચોક માં
આશિષ ઉમિયા બહુચર ના, અમ તણા પરિવાર માં,
નહીં સંસારી કે સન્યાસી એવુ જીવન જીવવું વ્યવસાય માં
સ્વતંત્ર મટી પરતંત્ર થયા, હતી દીકરી બચાવ ની નેમ,
પત રાખવી પટેલ ની, જેના દિલ માં હતી નેમ,
ભજી ઉમિયા ભાવ થી, જેના અમર રહ્યા વરદાન,
ભવાઈ થકી ભવ તારીયા એ માઁ ઉમિયા નો ઉપકાર
માઁ, બહેન, દીકરી સાથે હોય સઘળો પરિવાર
સાથે બેસી સૌ જોઈ શકે, એ જ઼ સૌથી મોટુ પ્રમાણ
નાત જાત ના ભેદ, અને દુષણો હતા અનેક,
સત્ય બતાવે સમાજ ને, એવુ માધ્યમ ભવાઈ એક
ધરા, ધરમ ની વાત કરી, ગાયા ભગવત ના ગાન,
ચાચર તણા ચોક માં, વધાર્યા સંસ્કૃતિ ના માન,
સાખી શબ્દો થી શરૂઆત,
આજે ઉત્તમ રીતે થાય છે,
માઁ ભગવતી ની આરાધના,
જેમાં રોજેરોજ થાય છે
ભરથરી અને ગોપીચંદ, માળવા છોડી જાય,
પણ ધુતારા ધૂતી ખાય, વાત એની ગાવણા માં થાય,
વિઘ્ન હર્તા દેવ ગણેશ આશિષ આપી જાય,
પ્રભાત ના પહોર સુધી ભવાઈ મોજ થી ભજવાઈ
બાદશાહ બતાવે શાન, ડાગલા તણા વેષ માં,
અભિનય થકી આપ્યો સંદેશ
ભવાઈ તણા વેષ માં
પતિ ભટકે અહીં થી વિલાસી જીવન મહીં,
પણ ભાર્યાં તણા ભાવ, વેચે મહિયારી બની મહીં,
ઝંડો અને પુરબીયા ભજવ્યા અમે
વણજારા ના વેષ
રાહ બતાવવા સમાજ ને જેણે આપ્યા અનેક સંદેશ,
જયારે કજોડા નો વ્યાપ વધ્યો જગત મા
શાન લાવવા લોકો ની પિરસયા કજોડા ના વેષ ચોક માં,
વધ્યા અંદરોઅંદર ના કલેશ ત્યારે ભજવ્યો પૃથ્વીરાજ નો વેષ,
સત્ય પીરસી સમાજ માં ઘણા મીટાવ્યા કલેશ,
દીકરી ઓ ના વેચાણ જયારે જગ જાહેર વાત
એ કુ રિવાજો દૂર કરવાની કરી ભવાઈ દ્વારા વાત
સંત સુરા અને સપૂત ભજવીયા દાતારો ના પાઠ,
કંઈક ખેડા ખપી ગયા, કરતા સુરાતન ના પાઠ,
સત્ય બોલવું જીવન માં, ત્યજવા રાગ ને દ્રેશ,
ખટ પટ ખોટી નહીં કરવા બતાવ્યો હરિચંદ્ર નો વેષ,
જ્ઞાન અને સંગીત માં જેને ગાયા ખુબ જ઼ ગુણ,
એ યુગ પુરુષ દાદા અસાઈત નું નહીં ચૂકવી શકીએ રુણ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો