બુધવાર, 10 ફેબ્રુઆરી, 2021

સાહિત્ય રચના

 

    


ર્ડો. શિવધન. વ્યાસ. ના જય સોમનાથ. જય માતાજી

આજે આદિ શક્તિ કડવા પાટીદાર ના કુળદેવી તેમજ ભૂદેવ અસાઈત ઠાકર ને ભવાઈ રચવાના આશીર્વાદ આપનારા માં ઉમિયાજી ની સ્તુતિ


                   દોહા 


આદિ દેવી ઉમિયાજી  આદિ દેવ હે ઉમેશ, 

હિમ સુતા વરી હર ને  મંગલ કરન મહેશ. 


                છંદ  ત્રિભંગી 


જય  અસૈત તાતા  જગ વિખ્યાતા પુરણ જ્ઞાતા  બહુ જ્ઞાની, 

ભવાઈ રચિયાતા  ઉમિયા માતા  તા થૈ થાતાં ભવરાની, 

ગંગા જીવ દાતા  ભાગ્ય વિધાતા  બન ગઇ બાતા  રાજાની, 

શિવધન ગુણ ગાવે  મંદિર જાવે  મન સુખ પાવે સતદાની. 


જય ઊંઝા વાળી  ઉમિયા માળી  દિન દયાળી  કિરપાળી, 

તુ અમિ નજરાળી  ઉમંગ વાળી  ભોળી ભાળી  ત્રિશુળાળી, 

જય જય જગ માતા  શોક હરાતા સુખ કી દાતા મહારાની, 

જન જન ગુણ ગાવે મંદિર જાવે મન સુખ પાવે સતદાની. 


શંકર ઘર રાની  તૂ મહાદાની  પુજ્ય પ્રમાની  ઉમિયાજી, 

તૂ નિત જગ જાની  સરસત બાની  વેદકી ગ્યાની  માતાજી, 

વેદ ગુણ ગાતા  મંગલ માતા  દુઃખડા જાતા   સદજ્ઞાની, 

જન જન ગુણ ગાવે  મંદિર જાવે  મન સુખ પાવે સતદાની. 


અસાઈતે રાજી  ઉમિયા માજી સુધરે બાજી  તવનામે, 

તવ  દરશન પાવે  ચિંતા જાવે  રિધ્ધ સિધ્ધ આવે તવ ધામે, 

તૂ જગ વિખ્યાતા દાનવ ઘાતા  ભક્ત સુહાતા સતબાની, 

" શિવધન "ગુણ ગાવે મંદિર જાવે મન સુખ પાવે સતદાની. 


રચિયતા. ર્ડો. શિવધન. જુ. વ્યાસ. વીરપરડા.  મોરબી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર