નમસ્કાર
ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા છે.. લગભગ રોજના બે વેશો લખવાની ઝડપ કેળવવી પડશે.
લેખનનો શ્રી ગણેશ પ્રસ્તાવના થી કરું છું.આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છા મારું પ્રેરણાબળ બની રહેશે.
આભાર,
પ્રસ્તાવના
"ભવાઈ 2.0
અસાઈત ધરોહર"
ભવાઈ ના આધુનિક 365 વેશો ની રચના કરવાનો પ્રારંભ કરતા આનંદ થાય છે. અસાઈત ઠાકર દાદાના વ્યક્તિત્વ નો o.o ટકા આવડત કે ત્રેવડ મારી નહી હોય,પણ આ રચના દ્વારા તેમણે રચેલ ભવાઈ વેશો ની સેવા થશે તેવું હું માનુ છું.પરમ પૂજ્ય અસાઈત ઠાકર દાદાના ચરણોમાં વંદન સાથે શુભ શરૂઆત કરું છું.જય ગણેશ..
ભવાઈ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે, જે માતા અંબા (જગદંબા કે ઉમિયા માતાજી)ને અર્પણ રૂપે ભજવાય છે. તેની શરૂઆત ધાર્મિક અને રીતરિવાજ થી થાય છે.ભવાઈના પ્રયોગની શરૂઆત આ રીતે થાય છે:નાયક (મંડળીના મુખ્ય વ્યક્તિ) દ્વારા સ્થળની તૈયારી
નાયક ચાચર (ભજવણીની ગોળાકાર જગ્યા)ને પાણી કે તેલથી ચિહ્નિત કરે છે અને કુંકુમ (લાલ ચંદન)થી પવિત્ર કરે છે.
પ્રાર્થના અને દીવા/મશાલને અર્પણ
નાયક તેલની મશાલ કે દીવાને (જે માતા અંબાનું પ્રતીક છે) કુંકુમ અર્પણ કરે છે.
ત્યારબાદ માતા અંબા (અંબાજી માતાજી)ની સ્તુતિમાં પ્રાર્થના ગીતો ગાય છે. આ પ્રાર્થના ભક્તિભાવથી ભરેલી હોય છે અને ભવાઈને ધાર્મિક અર્પણ તરીકે સ્થાપિત કરે છે.
ત્યારબાદના પ્રારંભિક વેશ (પ્રારંભિક પાત્રો) પ્રથમ ગણપતિનો વેશ આવે છે (એક અભિનેતા થાળીથી મોં ઢાંકીને ગણેશ તરીકે પ્રવેશ કરે છે, વિઘ્નહર્તા તરીકે આશીર્વાદ આપવા).
ત્યારબાદ કાળી માતા (કાળી)નો વેશ આવે છે.
પછી બ્રાહ્મણ (બામણ)નો વેશ આવે છે.
આ તમામ પ્રારંભિક વેશ પૂરા થયા પછી મુખ્ય વેશ (નાટકની વાર્તા) શરૂ થાય છે.
ભૂંગળનો નાદ અને અન્ય
ભવાઈની શરૂઆતમાં અને આખા પ્રયોગ દરમિયાન ભૂંગળ (લાંબી તાંબાની પાઇપ)નો નાદ વાગે છે, જે જાહેરાત અને સાથ આપે છે. રંગલો (વિદૂષક/હાસ્ય પાત્ર) અને નાયક પણ સ્ટેજ પર રહીને કોમેન્ટરી અને માર્ગદર્શન આપે છે.
આમ, ભવાઈની શરૂઆત માતા અંબાની પ્રાર્થનાથી થાય છે, પછી ગણેશ-કાળી-બ્રાહ્મણ જેવા પ્રારંભિક વેશ આવે છે અને પછી મુખ્ય વાર્તા (વેશ) શરૂ થાય છે. આ રીતે તે મનોરંજન સાથે ધાર્મિક અર્પણ બની રહે છે.
પરંપરાગત રીતે ભજવાતા વેશો અસાઈત ઠાકરે લગભગ 360 વેશો લખ્યા ની લોકવાયકા છે, પરંતુ આજે 60 જેટલા જ વેશો જીવંત અને ભજવાતા રહ્યા છે
આ હતો સંક્ષિપ્ત પરિચય અર્વાચીન ભવાઈનો...
અને હવે પ્રારંભ થશે મારી કલમે "ભવાઈ2.0
અસાઈત ધરોહર"નો
ડૉ રાજેશ ચંપકલાલ ભોજક
સિનિયર પત્રકાર, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો