ભવાઈ થી ભવ તરીયા , મળીયા માન સન્માન,
વિદેશ માં પણ વિચર્યાં , ગાયા ભવાઇ કેરા ગાન,
ભવાઇ રૂપી ભક્તિ કરી , મેળવ્યા ખુબ આશિષ ,
ભગવતી સદાય ભેળી રહી, રોજ નમાવી એ શીશ,
ભવાઇ મિશાલ જન જાગૃતિ ની, જે પ્રગટ ચાચર ચોક
કુ રિવાજો ના અંધકાર મીટાવ્યા પ્રકાશી અનોખું તેજ
ભવાઇ આપે ભવ નો ચિતાર, પીરસે સત્ય વાત,
સત્ય, ધર્મ, ન્યાય, નિતિ, સંગ વિચરે સૌ સંગાથ,
ભવાઇ નિહાળવા સૌ પરિજન, બેસે કુટુંબ કબીલા સાથ,
વાત ન કરે વિકૃતિ ની , કરે સંસ્કાર સંસ્કૃતિ ની જે વાત,
અસાઈત મુખ થી ઓચરે , ભવાઇ માઁ ઉમિયા નું વરદાન,
રાખી છે એવી જ રાખશે લાજ 'રાજ ', છે માઁ ભગવતી સંગાથ
રાજેશભાઇ એસ કુકરવાડિયા,
( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી
દુહો,,,,,,,,,,,,,,
ભવ તારિણી માઁ ભગવતી, તમે રહેજો સદાય સાથ,
ઓઢણી ઓઢી માઁ આપની, હે માડી ઉતારશો ભવ પાર,
,,,,,,,,,,,ભવાઇ રાસ,,,,,,,,,,
રાગ,,, ગરબો ગવરાવું ખોડલ આઇ નો રે લોલ,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
હૈ માડી ભવાઇ ભજવાય છે , દરેક ગામ માં રે લોલ,,,,,
ભજવાય છે કાંઇ ચાચર કેરા ચોક જો,,ભવાઇ ભજવાય છે દરેક ,,,,,
હેમાળા પટેલ ઊંઝા ગામ ના રે લોલ
એની આબરૂ અખંડ જળવાય જો
ભવાઇ ભજવાય છે દરેક ,,,,,,
ગંગા દિકરી ની પત રાખવા રે લોલ,,,,
વટલાયો અસાઇત તાત જો,,,,
ભવાઇ ભજવાય છે દરેક ગામ,,,,
ઉમિયાજી માત ને અરજ કીધી રે લોલ,,,
એને અનમોલ આપ્યું વરદાન જો,
ભવાઇ ભજવાય છે દરેક,,,,
ચૂડી, ચાંદલો ને ભૂંગળ આપીયા રે લોલ,,,
ચૂંદડી આપી છે હાથોહાથ જો,
ભવાઇ ભજવાય છે દરેક,,,
અસાઈત વાણી રાજેશ ઓચરે રે લોલ,
ઉમિયા બહુચરે આશિષ આપીયા રે લોલ,
થાશે ભવાઇ કળયુગ માં સવાઇ જો,
ભવાઇ ભજવાય છે દરેક,,,,,,
રચીયતા,,,,,
રાજેશભાઇ એસ કુકરવાડિયા,
( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો