બુધવાર, 31 માર્ચ, 2021

ભવાઈમાં ભૂંગળ વિશે માહિતી

ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ

About Bhavai Bhungal...

લોક ભવાઇનું મુખ્ય  વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાકરને  માઁ ઉમિયાજી પ્રસન્ન થઇ સાક્ષાત હાથોહાથ આપેલ અણમોલ ભેટ છે.

ભવાઇમાં મુખ્યત્વે ભૂંગળ, પખવાઝ', ઝાંઝ,  મહત્વ ગણાતા સમય પરિવર્તન આવતા ધીમેં ધીમેં.તબલા,ઢોલક, નોબત,મંજીરા, ડબ્બો,થાળી અને સારંગી વગેરે વાજીંત્રો વપરાતા ગયા છે.તેમાં ખાસ કરીને ભવાઈમાં ભૂંગળ વિશે માહિતે જાણીએ.

ભવાઈમાં કેટલીક વિશિષ્ટ રચનારીતિ છે.ખાસ કરીને ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વગાડીને કરવામાં આવતી.

ભૂંગળ, ત્રણ ભાગોમાં બાંધવામાં આવેલ છ ફુટ લાંબી તાંબાનું શિંગું એ મુખ્ય સાધન છે.  શ્વાસ અને પીચ નિયંત્રણની વિવિધ ડિગ્રીની આવશ્યકતા, તે નૃત્ય માટે ગીતો અને તાલને આપે છે.  ભુંગળ ફક્ત ભવાઈ થિયેટરમાં જ વપરાય છે. 

 ભૂંગળ જોડીમાં ભજવવામાં આવે છે જેમાં ઉચ્ચ ભૂરાવાળા ભુંગલ સ્ત્રી પાત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને નીચલા ભાગમાં ભુંગલ પુરુષ પાત્રોનું પ્રતીક છે.  આ જોડી સંવાદિતા, કાઉન્ટરપોઇન્ટ અને પાત્રોની જાતિ સૂચવે છે.

ભૂંગળની રચના  આપેલ ચિત્ર દ્વારા સમજી શકાય.,👉👉👉👉


1)ભૂંગળ 6 ફૂટની લંબાઇ હોય છે.

(2) ભૂંગળ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.     

  1.  કમળ (જ્યાં અવાજ સંભળાય)  
  2. ઘૂઘરો અથવા ગજ(મધ્યમ ભાગ)  
  3.  ચમ અથવા બાગ ( જ્યાં થી અવાજનો હોઠેથી નાદ કરવાનો થાય)                


(3)  ભૂંગળમાં મુખ્ય પાંચ પ્રકારના રાગ-તાલ આધારીત અવાજ નિકળે છે.

  1. પતંગ ( જે સ્થિરતા સાથેનો અવાજ )
  2. ફરેરો ( તેજ એટલે કે ધોધ સાથે અવાજ)
  3. માન (તાલ-રાગ સાથેનો અવાજ)
  4. છેક ( ચારેય બાજુ ફરતો અવાજ)
  5. સ્વર ( તાલ સાથેનો મિલાપનો અવાજ)  

(4) ભૂંગળ ક્યારે ક્યારે વગાડી શકાય.
  1.  જે-તે ગામે નાટક મંડળી પહોંચે ત્યારે
  2. કોઈના લગ્ન પ્રસંગમાં
  3. માતાજીના મંદિરે  
  4.  મજરો કરતી વખતે
  5. ચાંચર ચોકમાં ભવાઈ ભજવાતી હોય ત્યારે
  6. રાસ-ગરબા રમતી વખતે
  7. રાજવી એટલે રાજદરબારમાં સન્માન આપવા
  8. દિકરાના હાલરડામાં
  9. ગાવણું કરતી વખતે
  10. હવન કર્યો સિદ્ધ કરવા સમયે
  11. દરેક પ્રકારના શુભ કાર્યોમાં 

(5) ભવાઈની ભજવણી ભૂંગળના માધ્યમથી..
  •  બહુચર માતને ઉમિયા માતાને યાદ કરી મજરો કરે છે જે માં ભૂંગળ  વગાડ્યા બાદ અને  ચાચર ચોક સુધી ભૂંગળ -તથા  પખવાઝ, ઝાંઝ વગાડતા વગાડતા ચાંચર ચોકમાં પહોંચે  છે .     
  •     પ્રથમ શરૂઆતમાં ગીત -વાદ્ય -વાદનમાં ભૂંગળના અવાજ થી પ્રેક્ષકોને શાંત કરે છે.
  •  ત્યારબાદ ગણપતિ આવતા પહેલા સ્તુતિ બોલે છે જેમાં ભૂંગળનો અવાજ વગાડાય છે.
  • પછી નાટકની જાહેરાત થાય છે અને એક બુલંદ અવાજ સાથે ભૂંગળનો અવાજ આવે છે જેથી કલાકારોને અને પ્રેક્ષકોને એક નવું જોમ પૂરું પાડે છે.
  • ભવાઈ ગીત ક્યારે શરૂ કરવું અને ક્યારે અટકવું ક્યારે પૂરું કરવું તે ભૂંગળ દ્વારા જ સૂચન કરવામાં આવે છે.
  • પાત્ર અનુસાર પ્રવેશ અનુસાર જ્યારે કલાકારો વસ્ત્રો બદલવા ગયેલા હોય તે કલાકારોને ભૂંગળ વગાડીને રંગભૂમિ પર હાજર રહેવાનું સૂચન કરે છે.
  • તબલા વગાડનાર એટલે કે તબલચીને ક્યારેક મંદ તો ક્યારે જોરથી અને  ખુલ્લા બાયથી વગાડીને વેશ ભજવનાર ને ઉત્તેજન અને રસથી મધુરતા આપવા માટે ભૂંગળ વગાડવામાં આવે છે.
  •  રસથી ભરેલા નાટકો જેમાં રાજાઓનું સન્માન માટે ભૂંગળના દ્વારા રાજાનું આગમન  કરવામાં આવે છે.
  • અમુક નાટકો અનુસાર માતાજીના વેશમાં ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
  • જે તે ગામમાં પ્રથમ દિવસે ડાયરો થયા બાદ જ્યારે બીજો દિવસ એટલે કે પંચની રમત જે ભવાઇ કલાકારોના લાભાર્થે જે તે ગામના લોકો આપે છે તો ગામના સન્માન હેઠળ એક જય ઘોષના નાદથી ભૂંગળ વગાડવામાં આવે છે અને બીજી રમત ની જાહેરાત કરવામાં આવે છે.
  • રાતના સમયે જ્યારે પ્રથમ નાટક પૂરું થાય અને બીજી નાટકની શરૃઆત થાય તે વચ્ચેના ગાળામાં એટલે કે ઇન્ટર પડે ત્યારે ભૂંગળના નાદથી પ્રેક્ષકોને બીજું નાટક જોવા માટે ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
  • નાટક પૂરું થયા બાદ નર અને માદા આ બંને ભુંગળ સાથે રાખીને ચારે દિશા તરફ ભૂંગળ વગાડીને ભવાઈ પ્રોગ્રામ પૂરો કરવાનો નાદ કરે છે.

(6)ભૂંગળની બનાવટ કેવી હોય છે.જુઓ આ નીચે આપેલ વિડિઓમાં...
        




      


 Integration-9979522097

Tushar Pranjivanbhai Paija

Morbi-Gujarat 

Music artis.... Dramma artis...


   Co-Supporter

Manharlal K.Paija-khakhrala




શનિવાર, 27 માર્ચ, 2021

ન્યુઝ ભવાઈ વ્યથા









 

ન્યુઝ



https://www.morbinews.in/today-is-world-theater-day-bhavai-folk-art-is-on-the-verge-of-extinction/

 

ત્રિકમ વ્યાસ-ભવાઈ

AI video stoty👈open This click વિશ્વ રંગ ભૂમિ ના દિવસે,,,,, 

અમર પાળીયા તણો ઇતિહાસ 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


          



જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર,

પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર,,, 


છે ઉજળો ઇતિહાસ ભવાઇ નો, બગથળા રૂડા ગામ,

પાળીયો થઇ પૂજાય વ્યાસ અમારો,ત્રિકમજી રૂડા નામ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

        

    બગથળા ગામ ના પાધરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે 

                  એવા વીર વર પુરુષ ત્રિકમજી દાદા વ્યાસ ને યાદ કરીએ 

       વરસો પહેલા બહારવટિયા અને લૂંટારુ ઓ દ્વારા ગામ ભાંગવા ના અનેક બનાવો ઇતિહાસ ના પાને આપણ ને વાંચવા મળે છે

            વરસો પહેલા ની વાત છે બગથળા ગામ ને આંગણે ભવાઇ નો પ્રોગ્રામ રાખવા માં આવેલ અને રાત્રી ના સમયે ધાડપાડુ ઓ ગામ ભાંગવા આવ્યા

            એમ કહેવાય કે જામગરી બંધુકો ને જેના ખભે લટકાય રહી છે તલવાર, ભાલા, બરછી જેવા હથિયાર સાથે ઘોડા છલંગ મારી  સીધા જ માણસો ની વચ્ચે જન મેદની માં ધડાન્ગ ધડાન્ગ જામગરી બંધુક ના અવાજો થાય છે 

      ભવાઇ નો પ્રોગ્રામ હોય લોકો માં અફરાતફરી અને ભાગાભાગી મચી ગઇ

             ભવાઇ કલાકારો ને પણ પોતાના ના ઉતારા માં જતા રહેવા ચેતવણી આપવા માં આવી ત્યારે વીરરસ જેની રગેરગ માં વહેતો હોય અને પોતાના પાત્ર ની મર્યાદા નો ભંગ ન થાય એ હેતુ સર ત્રિકમજી નામના વ્યાસ દ્વારા ધાડપાડુ ઓ ને સાવધાન થઇ જવા ચેતવણી આપવામાં આવે છે 

      કે હુ અત્યારે અહીં, રાજા ના પાત્ર માં  છું અહીંયા રહેલી અને આ ગામ ની પ્રજા બધી મારી રૈયત છે

      જ્યાં સુધી મારાં ખોળિયા માં પ્રાણ છે ત્યાં સુધી હુ ગામ નહીં ભાંગવા દવ 

      ત્યારે ધાડપાડુ હસે છે અને ત્રિકમજી વ્યાસ ની હાંસી ઉડાવી કહે છે કે હે બ્રાહ્મણ તને  તારોં જીવ વ્હાલો હોય તો મેદાન મુકી ચાલ્યો જા એમ રાજા ના કપડાં પહેરી ને રાજા ન થઇ જવાય 

    નહિતર અમારે તારી જનોઇ ની દયા રાખ્યા વિના હાથ ઉપાડવો પડશે 

     ત્યારે ત્રિકમજી વ્યાસ ચેલેન્જ કરે છે કે ખરેખર તમારા માં મર્દાઇ ભરી હોય તો એક પછી એક મારી સામે આવો જો મારી રૈયત ની ખાતર આજ વેતરી નો નાખું તો તો મારું પાત્ર લાજે 

             બહારવટિયા ત્રિકમજી વ્યાસ ની વાત ને હળવાશ માં લઇ એક પછી એક એમ ત્રિકમજી વ્યાસ ના હાથે ચાર ના માથા વઢાય જાય છે 

  પછી તો હાહાકાર મચી જાય છે અને દુશમ્નો ના મન માં ફફડાટ વ્યાપી જાય છે અને ભય ઉભો થાય છે કે આતો એક પછી એક  બધાને મારી નાખશે 

     એટલે એક સામટા બધા જ દગો રચે છે અને  ત્રિકમજી વ્યાસ ઉપર તૂટી પડે છે

      એમના ચાર સાથીદારો નો લોથ વળી જતા ગામ ભાંગ્યા વિના જ ચાલ્યા જાય છે

           અને આમ એક પાત્ર ની મર્યાદા અને તાકાત શું હોય છે  રાજા અને પ્રજા વચ્ચે ની પ્રિતી શું હોય છે,યજમાન અને વ્યાસ જ્ઞાતિ નો સબંધ શું હોય છે  એનો અદ્ભૂત દાખલો  આ દુનિયા માં બેસાડી એક ગૌરવ વંતો ઇતિહાસ રચતા ગયા 

       આજે પણ બગથળા ગામ માં ત્રિકમજી વ્યાસ નો પાળીયો મોજુદ છે અને ઘણા લોકો એની માનતા પણ રાખે છે


     ,,,,,,,,,,, બિરદાવલી,,,,,,,,, 

        

ભવાઇ ભજવતા ભાવ થી, જેના અનેક છે ઇતિહાસ,

ઉજાગર કરવો મારે આજ એક

એમાં નો જ છે ઇતિહાસ,


બગથળા ગામ ને પાધરે, ભવાઇ ભક્તિ થાય,

તેદી નાયકો ના ઉર માં આનંદ અતિ ઉભરાય,


વીતી ગયા વરસો જેને સંભારતાં મન હરખાય,

નાયક, ભોજક, વ્યાસ નું ગૌરવ આજ ગણાય


ભક્તિ અને શક્તિ  જેની  રગે રગ માં જણાય

ત્રિકમજી વ્યાસ ના તેજ તેદી ઝીલ્યા ન ઝીલાય,


આવ્યા બગથળા ગામ ને ભાંગવા  બહારવટિયા આઠ દસ

ભવાઇ તણા ચોક માં મહારાજા ની કચેરી અકકડે ઠઠ


હટી જાવ વ્યાસ આજ ગામ ને  ભાંગવું અમારે,

બચાવો જીવ તમારો મારવા નહીં જનોઈ ધારી અમારે


ત્રિકમજી પાડે ત્રાડ, છે પાઠ મારો  રાજવી તણો 

ભાંગવા દઉં જો ગામ ને તો લાજે ઠાઠ રાજવી તણો 


મર્દાઇ હોય જો અંગ માં તો એક પછી એક આવો,

મરું પણ મેલું નહીં ઈજ્જત નહીં અમારી માપો, 


વીરરસ ના પાઠ માં તેદી તલવાર બાંધેલ જે ભેટ માં,

સમય આવે વાપરી જાણી,પરોવી દુશ્મન ના પેટ માં


એક એક પછી એક એમ ચાર ની ઢાળી લાશો

દુશ્મન તણી ગેંગ હાંફી ફફડાટ ચારેકોર વ્યાપ્યો,


મારવા ત્રિકમ વ્યાસ ને અંજામ દગા માં  આપ્યા,

એ ટોળાં તણા તરખાટ માં તેદી પ્રાણ એણે આપ્યા


બચાવ્યું ગામ બગથળા અને લાજ તેદી રાખી

વ્યાસ તણી તેજસ્વીતા, દુશમ્નો એ તેદી દેખી


પાળીયો થઇ પૂજાવું એ કામ નથી કઇ સહેલા ,

ઈજ્જત રાખવા ગામ ની તેદી  પ્રાણ દિધાપહેલા,


બગથળા ગામ ને પાધરે બેઠો ત્રિકમ વીર,

નાયક, ભોજક, વ્યાસ નું જેણે વધાર્યું ખમીર,


રચના,,,,, રાજેશભાઇ એસ કુકરવાડિયા, ધ્રુવનગર, મોરબી 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


ત્રિકમજી દાદા નો રાસ,,,,,,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


એવો લડીયો રે ધીંગાણે દાદો આપણો,,,,

હે,,એને વધાર્યું છે કુળ નું બહુમાન રે,,, ત્રિકમજી દાદા

લડીયો રે ધીંગાણે દાદો આપણો,


હે એવા બગથળા ગામ કેરા આંગણે,

વેષ ભવાઇ ના તેદી પાધરે,

 હે,,,, ભજવ્યા એણે રાજા કેરા પાઠ રે,,,, ત્રિકમજી દાદા,,,

લડીયો રે ધીંગાણે દાદો આપણો,


ગામ ભાંગવા ને ડાકુ આવિયા,

દાદા ત્રિકમજી પાસે નવ ફાવિયા,

હે,,,, કર્યાં એને મોત ના મંડાણ રે

ત્રિકમજી દાદા,, 

લડીયો ધીંગાણે દાદો આપણો,


એને ગામ બગથળા બચાવીયુ,

એને ગૌરવ વ્યાસ નું વધારિયુ,

હે,,,કર્યું અમર અસાઈત નું નામ રે

ત્રિકમજી દાદા,,, 

લડીયો રે ધીંગાણે દાદો આપણો


દાદા એગૌરવ જ્ઞાતિ નું વધારિયુ 

એના ગૌરવ કુળ નું વધારીયુ

હે,,,, રાજેશ ગાય એના ગુણ રે 

,, ત્રિકમજી દાદા,,, 

લડીયો રે ધીંગાણે દાદો આપણો 


ગુરુવાર, 18 માર્ચ, 2021

ભવાઈ ગીત

 ભવાઈ થી ભવ તરીયા , મળીયા માન સન્માન,

વિદેશ માં પણ વિચર્યાં , ગાયા ભવાઇ કેરા ગાન,


ભવાઇ રૂપી ભક્તિ કરી , મેળવ્યા ખુબ આશિષ ,

ભગવતી સદાય ભેળી રહી, રોજ નમાવી એ શીશ,


ભવાઇ મિશાલ જન જાગૃતિ ની, જે પ્રગટ ચાચર ચોક

કુ રિવાજો ના અંધકાર મીટાવ્યા પ્રકાશી અનોખું તેજ


ભવાઇ આપે ભવ નો ચિતાર, પીરસે સત્ય વાત,

સત્ય, ધર્મ, ન્યાય, નિતિ,  સંગ વિચરે સૌ સંગાથ,


ભવાઇ નિહાળવા સૌ પરિજન, બેસે કુટુંબ કબીલા સાથ,

વાત ન કરે વિકૃતિ ની , કરે સંસ્કાર સંસ્કૃતિ ની જે વાત,


અસાઈત મુખ થી ઓચરે , ભવાઇ   માઁ ઉમિયા નું વરદાન,

રાખી છે એવી જ રાખશે લાજ 'રાજ ', છે માઁ ભગવતી સંગાથ 


રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ  ) ધ્રુવનગર,, મોરબી

 દુહો,,,,,,,,,,,,,, 

ભવ તારિણી માઁ ભગવતી, તમે રહેજો સદાય સાથ,

ઓઢણી ઓઢી માઁ આપની, હે માડી ઉતારશો ભવ પાર,


,,,,,,,,,,,ભવાઇ  રાસ,,,,,,,,,,

રાગ,,, ગરબો ગવરાવું ખોડલ આઇ નો રે લોલ,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હૈ માડી ભવાઇ ભજવાય છે , દરેક ગામ માં રે લોલ,,,,,

ભજવાય છે કાંઇ ચાચર કેરા ચોક જો,,ભવાઇ ભજવાય છે દરેક ,,,,, 


હેમાળા પટેલ ઊંઝા ગામ ના રે લોલ

એની આબરૂ અખંડ જળવાય જો

ભવાઇ ભજવાય છે દરેક ,,,,,,


ગંગા દિકરી ની પત રાખવા રે લોલ,,,, 

વટલાયો અસાઇત તાત જો,,,, 

ભવાઇ ભજવાય છે દરેક ગામ,,,,


ઉમિયાજી માત ને અરજ કીધી રે લોલ,,, 

એને અનમોલ આપ્યું વરદાન જો,

ભવાઇ ભજવાય છે દરેક,,,, 


ચૂડી, ચાંદલો ને ભૂંગળ આપીયા રે લોલ,,, 

ચૂંદડી આપી છે હાથોહાથ જો,

ભવાઇ ભજવાય છે દરેક,,, 


અસાઈત વાણી રાજેશ ઓચરે રે લોલ,

ઉમિયા બહુચરે આશિષ આપીયા રે લોલ,

થાશે ભવાઇ કળયુગ માં સવાઇ  જો,

ભવાઇ ભજવાય છે દરેક,,,,,, 


રચીયતા,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી

શનિવાર, 6 માર્ચ, 2021

ભવાઇના ફોટા



















































 અહી મચ્છુકાંઠા વ્યાસ કલાકારોના ભવાઈની દુનિયાના યાદગાર તસ્વીર...
























નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...