મંગળવાર, 1 જૂન, 2021

ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ

 આઈ ઉતર્યા અવની પર, આપ્યા  અણમોલ વરદાન,

જાતર થકી તરજો , તમે સૌ  અસાઇત તણા બાળ,


ચૂડી, ચાંદલો,અને આ ચૂંદડી પહેરજો ચાચર ચોક,

આ ભુંગળ કેરો નાદ સુણી ઉમટશે  જગત ના લોક 


વેદ શાસ્ત્ર અને વાણી,  અમ વ્યવસાય તણો આધાર,

માઁ ભગવતી ભક્તિ થકી, અમે ઝીલી એ બધા પડકાર,


મુખે વસે માઁ સરસ્વતી, અમે તો વાણી થકી ઓળખાય,

ઉમિયા બહુચર ના આશિષ થકી  અમ શક્તિ પરખાય,


દુષણો ડામવા દુનિયા માં દાદા અસાઇતે  કર્યો નીર્ધાર ,

મીટાવ્યા કુ રિવાજો સમાજ માં કર્યાં સુધારણા અપાર,


સંગીત, શાસ્ત્ર,સાહિત્ય અને કલા ના કામણગાર,

વિધ વિધ ભજવી વેષ કર્યા લોકો ને માહિત ગાર


" રાજ' આધુનિક યુગ માં આશિષ ના મળી રહ્યા છે પ્રમાણ 

ભવ ની વહી ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ


રચના,,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર