આઈ ઉતર્યા અવની પર, આપ્યા અણમોલ વરદાન,
જાતર થકી તરજો , તમે સૌ અસાઇત તણા બાળ,
ચૂડી, ચાંદલો,અને આ ચૂંદડી પહેરજો ચાચર ચોક,
આ ભુંગળ કેરો નાદ સુણી ઉમટશે જગત ના લોક
વેદ શાસ્ત્ર અને વાણી, અમ વ્યવસાય તણો આધાર,
માઁ ભગવતી ભક્તિ થકી, અમે ઝીલી એ બધા પડકાર,
મુખે વસે માઁ સરસ્વતી, અમે તો વાણી થકી ઓળખાય,
ઉમિયા બહુચર ના આશિષ થકી અમ શક્તિ પરખાય,
દુષણો ડામવા દુનિયા માં દાદા અસાઇતે કર્યો નીર્ધાર ,
મીટાવ્યા કુ રિવાજો સમાજ માં કર્યાં સુધારણા અપાર,
સંગીત, શાસ્ત્ર,સાહિત્ય અને કલા ના કામણગાર,
વિધ વિધ ભજવી વેષ કર્યા લોકો ને માહિત ગાર
" રાજ' આધુનિક યુગ માં આશિષ ના મળી રહ્યા છે પ્રમાણ
ભવ ની વહી ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ
રચના,,,,,,,
રાજેશભાઇ એસ કુકરવાડિયા,
( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો