રવિવાર, 14 ફેબ્રુઆરી, 2021

જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ

 જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ


ભવાઇ માં હોય છે ભક્તિ, એજ  અમારી  શક્તિ,

ભવાઇ વહેતી જ્ઞાન ની ધારા,વહે  નિરંતર અમૃત રસધારા,

ભવાઇ જનજાગૃતિ ની મિશાલ, પ્રકાશ આપે બે મિસાલ,

ભવાઇ ના  સુર શબ્દો માં હોય છે સાર,હોય સંગીત ના અલગ તાલ,

ભવાઇ માં નેકી ટેકી ને સત્ય જેમાં બોલાય નહીં અસત્ય

ભવાઇ પીરસે અનેક અનેક રસ જેમાં હાસ્ય,કરુણ ને વીરરસ

ભવાઇ જાગતી દિવ્ય જ્યોત,રહે અખંડ એ જ્યોત,

ભવાઇ માં હોય છે ભાવ, તેથી રહ્યો ખુબ પ્રભાવ,

ભવાઇ માં ઉજાગરા હોય બહુ, છતાં રાજી રહે સહુ,

ભવાઇ માં ભૂંગળ કેરા નાદ જેમાં માઁ ભગવતી નો સાદ,

ભવાઇ ના રાજેશ ગુણલા ગાય, સદાય ભવાઇ રહે સવાય,


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા. 

ધ્રુવનગર,, મોરબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર