સોમવાર, 22 ફેબ્રુઆરી, 2021

Swami vivekand Bhavai Team-Morbi-Gujarat-India

 

HISTORY ABOUT GROUP-SWAMI VIVEKANAND BHAVAI MANDAL

History in brief:



-          The MANDAL has been established around 1950’s by our father Mr. Babubhai Kanjibhai Vyas (sub caste Paija) born on 26th December 1933, He and his fore father and his entire family has contributed immensely by performing various characters of Saurashtra’s historical bhavai and saved the extinct art of storytelling. Before the inception of Swami Vivekanand mandal, Babubhai’s father Kanjibhai and Uncle Kashirambhai and Grandfather Mr.Prabhashankar and their relatives  were doing activity of educating society through Bhavai activity, mandal was namely known as Khodiyar bhvai mandal during  1850’s time.

 

-          So in a way the evolvement of SWAMI VIVEKANAND MANDAL is resemble of the country and surrounding society’s vision of Bharat and it show case that how Mr. Babubhai Vyas was inspired by the vision of Swami Vivekanand during that time and the same ideas impacted to the various different section of the societies which are remotely located.

About Bhavai and their group:

-          The Bhavai is very old art of storytelling has its roots since 13th Century, originally it was a folkdance performed by only male artists by wearing women’s clothes as in the past the society was dominated by male and it was taboo and considered unacceptable in the society that women perform such dancing or storytelling act in front of masses, however in current time it is completely inverse and equality has become new normal.

 

-          These all the performers of the Mandal has continued their performance despite scarce resources, It was time when there were no lights, no vehicles and no availability of public transport, they were used to be in continuous travelling from one village to another with carrying all their livelihoods – they were also showcasing the example of team work and hard work to society and due to the same leaders of small villages were welcoming them with excitement and affectionately.

 

-          Because of these all the efforts of Swami Vivekanand Bhavai mandal, Prime Minister Morarji Desai had encouraged, appreciated and promoted them to showcase their talent at global level - In his letter dated 11th August 1977, He also admitted that the Bhavai was famous folkdance but later on Songs, Dialogues and Acting were added into the same, that has worked as powerful tool to educate public masses on various social issues through Sarcasm and Humor derived from one’s foolish act, the same has been accorded and promoted by many leaders of State of Gujarat and Central Government and organization like National School of Drama, INT,CCRT, Rajsthan naty academy, international theater, foreign country, governments, recorder etc..

 

-          Our group performs different types (like vanjara,zanda zulan,alabelo,kan-gopi,lal batav-chhel batav,miya-bivi etc.) of drama and vesh and plays for many years and this also does in time.

 

-          After the demise of Mr. Babubhai Kanjibhai Vyas in 2005, the Mandal has continued their activity in the leadership of Haribhai Kanjibhai Vyas who is of 70 years of now, as part of succession planning the performance activity is headed by Mr. Vikrambhai Haribhai Paija and Mgt. and co-ordination of mandal’s activity with various organizations is headed by
Mr.  Pranjivanbhai Babubhai Paija
.

 

 

 

 

 

Major Programmes and Awards:

1.       Performed at Mumbai in Rang bhuvan – Tamasha Mahotsav” March 24, 1958

2.       Mr. Babubhai Vyas was appointed as member in during first ‘Saurashtra Bhavai Convention’ at Rajkot - November 15, 1958 (Radio Recorded), in presence of Minister Bahadur Patel and President Jaymal Parmar

3.       ‘Lok-sahitya Convention’ by Sanas Academy for eight days February 22, 1959 (Radio Recorded)

4.       Performance at England in April 15, 1959.

5.       Invitation as a guest by ‘BHAVAI KALAKAR SANGH’ – 7th January 1960.

6.       Performed at Rajkot in presence of Prime Minister Jawaharlal Nehru and Shree Sanjiv Reddy at April 2, 1960

7.       Invitation as a guest by ‘BHAVAI KALAKARA SANGH’ and ‘SAURASHTR SANGIT NATAK ACADEMY’ during 1st November 1960.

8.       Performed at Bhuj-Katch in presence of Chief Minister at 15th and 16th December 1960

9.       ‘Second Lok-sahitya Convention’ at Rajkot – 19th December 1960

10.    ‘Third Lok-sahitya Convention’ at Rajkot – 15th March 1961.

11.   Program in ‘SAURASHTR SANGIT NATAK ACADEMY’-5th November 1962.

12.   ‘Rang-Mandir Congress Adhiveshan’ at Bhavnagar.

13.   Performed at ‘Delhi Sangrahalaya’.

14.   Incorporation of ‘Saurashtra Bhavai Convention’ by Minister Shree Bahadur Patel – President Jaymal Parmar – elected as member during 15th November 1958. 

15.   ‘Saurashtra Bhavai Convention’ – Elected as President of Saurashtra Bhavai Convention 17th July 1970.

16.   ‘INT Mumbai’ invited foreign tour to Iran  for the festival name ‘Siraz festival’ from 16th August 1977 to 22nd August 1977 – Letter of Best wishes from Prime Minister Shree Morarji Desai

17.   Performed at Cochin – ‘Acting Festival’ at 26th November 1977

18.   Performed at ‘Mumbai University – All India Recording’ at 31st August 1977.

19.   Performed at Morbi in the presence of ‘Shrimati Kamlaben Chatopadhyay – Swatantra Senani and Social Reformer’ at 10th May 1979 to 16th May 1979.

20.   Performed at ‘Shidhraj Sumiti Vilas – Jodhpur – Rajasthan’ 7th March 1980.

21.   Performed at ‘Music college in Vadodara’, awarded by ‘Shrimati Rukshmani Devi Arundal’ –10th March 1980.

22.   Performed at SENT JEVIYERS COLLEAGE Ahemdabad-‘RAJAT JYANTI MAHOTSAV’ presence of ‘FATHER VALES’ during 21stand 22nd November 1980.

23.   TV progaramme recording at Ahmedabad by Shri Raju Barot – 18th December 1980

24.   Performed at Rajkot Akashvani  Kendra – 3rd March 1981.

25.   Performed at Jodhpar – Rajat jayanti of ‘Rajasthan Sangeet Academy’ 3rd March 1983

26.   Performed at ‘Pragati  Maidan’ in Delhi – 21st  December  1986.

27.   Performed at Talgajarda event organized by ‘Shri Moraribapu’ 31th March 1986.

28.   Performed at ‘Indian national theater in Mumbai’ during 22th September 1986.

29.   Performed at ‘Gujarat Adivasi lok tsav’ – 22nd September 1986

30.   Performed at Amreli Gujarat ‘Sahitya Parishad 14th Gyantantra’ – 13th December 1986

31.   Visited England and performed at London during February to April 1988- workshop of acting.

32.   Performed at udaypur- ‘PASCHIM KSHETR SANSKRUTIK KENDR’ at 18thaugust 1988.

33.   Invited to go to the U.K. by Indian national theater-LOK KALA SANSODHAN KENDR GUJRAT-27th February 1989.

34.   Visited England to perform at London during Holi  Festival celebration 11th March to 19th March 1989.

35.   Performed at udaypur- ‘PASCHIM KSHETR SANSKRUTIK KENDR’ at 21st April 1989.

36.   Performed at udaypur-‘JANPAD PRADARSHAN’- PASCHIM KSHETR SANSKRUTIK KENDR at 28th November 1989.

37.   Performed at Vadodara during ‘Sarodatsav’  at Pavagadh in the presence of minister Shri Lalitbhai Patel.

38.   Performed at Udaypur -  ‘BHARATIY LOK KALA FOUNDATION’ at  22nd February 1990.

39.   Performed at Udaypur -  ‘Shilp Darshan mela’ from 31st January to 29th February 1990

40.   Performed at ‘Saurashtra Sahitya Sabha’ in Rajkot 17 April 1987

41.   ‘CCRT New Delhi and INT lok kala sansodhan Kendra’ invited to perform during 8th April to 13th April 1991.

42.   Performed at Rajkot in ‘meghani rang bhuvan’ for GUJRAT RAJY KUTUMB KALYAN at 4thDecember 1991.   

43.   14th Loksahitya Adhiveshan at Rashtriya School in Rajkot

44.   Invited to perform at ‘Lok mela’ by Information Ministry – Lok Mela Samiti 30th  August 1995

45.   Performed at Ahmedabad – organized by ‘Gujarat Lok kala foundation’ in the presence of Chief Minister of Gujarat Shri Ashok Bhatt-14thSeptember 1995.

46.   Recorded the Bhavai program in Durdarshan-Ahemdabad for NAVARATRI at 15th September 1995.

47.   Performed at Mumbai organized by ‘National Center for the performing Arts and Sarthi New Delhi’ during 19th February to 26th February 1996.

48.   Performed under the ‘Department of Triveni and dramatics, faculty of performing arts M.S. university’- naty mahotsav and sanman samaroh during 27thto 29th march 1996.

49.   ‘GAURAV PURASHKRA AWARDE’D by GUJRAT STATE SANGEET NATAK ACADEMY-GANDHIAGAR through chief minister Sureshbhai maheta at 3rd june 1996.

50.   Invited by Lok kala foundation Gujarat and Information Ministry in the presence of Collector in Rajkumar College Rajkot at August 1996

51.   Invited by’ Durdarshan’  at Rajkot during September – October 1996 for recording Bhavai

52.   Performed at New Delhi, Organized by ‘Sangeet Natak Academy’ New Delhi 5th October 1996

53.   Performed at New Delhi in ‘Holi mahotsav’.

54.   Performed at ‘AMBAJI-BHAKTI FESTIVAL’ and bhavai mahotsav during 1997.

55.   ‘GUJRAT LOK KALA VADY SAMAROH’ at Rajkot during 23th march 1997.

56.   Recorded in ‘durdarshan-Ahemdabad’  on the ‘GUJRAT FOUNDING DAY’ at 29th april 1998(rel.at 1st may 1998).

57.   Performed at GOA-organized by ‘government of goa’ and paschim kshetr-udepur at 15th june 1998.

58.   Performed in Ahmedabad in presence of chief Minister keshubhai patel on the occasion of establishment of BIN NIVASI GUJRATI SANSTHA at 28th December 1998.

59.   Performed at Jetalpur in Ahemdabad for expedition of chief minister Mr.Keshubhai patel during 2nd February 1999.

60.   Camps and BHAVAI VESH organized in Jaipur-Rajsthan under the second international ceremony during 22nd march 1999.

61.   Performed in USA(America,cicago)-VISWA GUJRATI SAMAJ-bhavai celebration on 13th November 2010 at MANAV SEVA MANDIR,BENSENVILLE,IL.USA. presence of viswa gujrati samaj-NARENBHAI PATEL.

62.   Performed at west indies’ for bhavai vesh at 10th November 2010

63.   Performed at Indian culture center, embassy of india in suriname by LOK KALA FOUNDATION during 21st November 2010.

64.    Performed at Rajasthan during 17thSeptember 2012.

65.   Performed at Delhi by ‘National school of drama’ during 17th January 2014.

66.   Performed at Delhi by ‘sangit natak academy’ in 2019.

67.   Performed at Bhopal-performance of bhavai during 12th December 2019.  

 

 

Yours sincerely,

(Mr.Paija pranjivan babubhai)

Director

Swami Vivekanand Bhavai Mandal

Khakhrala, Dist.-Morbi

Gujarat-363641

M:99794 54193

M:99134 42450

E: raviraj.paija@gmail.com

Pranlal.b.paija2063@gmail.com

 

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2021

ભવાઈ વેશના નામ

 અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો...
તથા અન્ય વેશ.... 
નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે.  

સમયગાળો ઇ.સ.( 1320-1400)   

(13-14મી સદી-મધ્યયુગ)



  1. કાનગોપી
  2. હંસાવલી
  3. સમુદ્ર મંથન
  4. દક્ષિણી યાણ
  5. મહાદેવ
  6. મારવાડણ
  7. સાધુનો વેશ
  8. જસમા ઓડણ
  9. કજોડાનો વેશ
  10. કાબાનો વેશ
  11. પઠાણનો વેશ
  12. છેલ બટાવ
  13. પાવૈયા પુરાણ
  14. રાસકો
  15. ઝંડા ઝૂલણ
  16. વાણીયાનો વેશ
  17. જૂઠણ
  18. કંસારો
  19. મીયા બીબી
  20. લાલજી મણિયાર
  21. સુરાસ માળા
  22. વિકો સિસોદિયો
  23. બહુચરાજી
  24. કાલીનો વેશ
  25. રાજા દેગમ 
  26. સઘરા જેસંગ 
  27. પાંચ ચોર
  28. પુરબિયો
  29. અભિમન્યુ
  30.  ઉમિયાના વારસ
  31. લાલ બટાવ 
  32. છેલ બટાવો 
  33. મહિયારી 
  34. ગણપતિનો વેશ
  35. મોર કળા અલબેલો 
  36. વિદૂષક 
  37. રામદેવનો વેશ 
  38. રામદેવપીર
  39.  ગાવણું
  40.  મઢીનો વેશ
  41. સરણિયાનો વેશ
  42. ઉજ્જૈનમાં ખોડા 
  43. ચટકીનો વેશ 
  44. રાજા દેઘણ
  45.  રાજદેવ 
  46. મણીબા સતી
  47. પતાઈ રાવળ
  48. કંસાઈ
  49. મોહિના
  50. સલુણા
  51. તેજા
  52. પાંડવલીલા
  53. શિવ-પાર્વતી
  54. દશાવતાર
  55. રામકી
  56. વાળંદ
  57. સતી સાવિત્રી
  58. સુદામા
  59. બહુરૂપી
  60. વણઝારો
  61. ક્રિયાકાંડી બ્રાહ્મણ,,,, 
  62. ધૂર્ત અને દંભી વાણીયો,,,,, 
  63. ઠગારો,,,,,,,,,,,,,,,
  64. કમ અક્કલ કુંભાર,,,,,,,, 
  65. રાજા   રાણી

જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ

 જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ


ભવાઇ માં હોય છે ભક્તિ, એજ  અમારી  શક્તિ,

ભવાઇ વહેતી જ્ઞાન ની ધારા,વહે  નિરંતર અમૃત રસધારા,

ભવાઇ જનજાગૃતિ ની મિશાલ, પ્રકાશ આપે બે મિસાલ,

ભવાઇ ના  સુર શબ્દો માં હોય છે સાર,હોય સંગીત ના અલગ તાલ,

ભવાઇ માં નેકી ટેકી ને સત્ય જેમાં બોલાય નહીં અસત્ય

ભવાઇ પીરસે અનેક અનેક રસ જેમાં હાસ્ય,કરુણ ને વીરરસ

ભવાઇ જાગતી દિવ્ય જ્યોત,રહે અખંડ એ જ્યોત,

ભવાઇ માં હોય છે ભાવ, તેથી રહ્યો ખુબ પ્રભાવ,

ભવાઇ માં ઉજાગરા હોય બહુ, છતાં રાજી રહે સહુ,

ભવાઇ માં ભૂંગળ કેરા નાદ જેમાં માઁ ભગવતી નો સાદ,

ભવાઇ ના રાજેશ ગુણલા ગાય, સદાય ભવાઇ રહે સવાય,


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા. 

ધ્રુવનગર,, મોરબી

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2021

ભવાઈ નાટકો


ભવાઈ

           

   🎞️નાટકના નામ ઉપર ક્લિક કરો.👇👇

  1. રામરાજ્ય અને લવકુશ
  2. રામવનવાસ અને લંકા વિજય
  3. ભિષ્મ પ્રતિજ્ઞા
  4. બિલ્વ મંગલ
  5. અધુરા મિલન અને રાણો કુંવર
  6. રાજા ગોપીચંદ અને મેનાવતી ઉપદેશ
  7. મચ્છુતારા વહેતા પાણી
  8. રા'નવઘણ
  9. અભિમન્યુ ચક્રવો
  10. રા મંડલીક અને નાગબાઈ માં
  11. વીર માગડાવાળો
  12. હરિચંદ્ર તારામતી
  13. જેસલ તોરલ 
  14. ખોડિયાર જોગમાયા 
  15. સત્યવાન સાવિત્રી 
  16. સમ્રાટ હર્ષ
  17. ભવાઈ વેશ(જેમાં અલગ અલગ વેશ જોવા મળશે)
  18. પૃથ્વીરાજ ચૌહાણ
  19.  વીર એભલવાડો
  20. નાગમતી નાગવાળો
  21. જોગીદાસ ખુમાણ
  22. હોથલ પદમણી અને ઓઢાજામ
  23. સુરેખા હરણ
  24.  જાલમસિંહ જાડેજો અને મિત્ર માત્રવળુ
  25. સોરઠીયાણી સોન અને આહિરની ઉદારતા
  26. જળપુત્ર જલંધર
  27. ભીષ્મ પ્રતિજ્ઞા -મોરારિબાપુના સાનિધ્યમાં કાર્યક્રમ
  28. નાટક-ટોમસોન કેટી( ઇંગ્લેન્ડની ધરતી પર ગુજરાતના મચ્છુકાંઠાના ભવાઈ કલાકારો)



ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2021

કોકોનટ થિયેટર એવોર્ડ

 



*લોક કલાકે સંગ* 
*"ગુજરાતનું ગૌરવ"*
*ખાખરાળા ગામનાં પૈજા પરિવારનું વિશ્વપ્રસિદ્ધ COCONUT THEATER દ્વારા સન્માન*
 (Folk Bhavai-Gujarat)

કોરોના કાળ દરમીયાન વિશ્વનું નામચિહ્ન *COCONUT THEATER* દ્વારા રજૂ થયેલ *CHAI-WAI & RANGAMANCH* ના Season 1 અને 2 માં વિશ્વના સમગ્ર દેશમાના 134 રાજ્યો દ્વારા કાર્યક્રમ રજૂ થયેલ જેમાંથી ખાખરાળા ગામમાં રહેતા સમગ્ર પૈજા પરિવાર કે જેઓનું વિશ્વપ્રસિદ્ધ *"સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ"* ચાલે છે જેને તાજેતરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કે જેઓ હર હંમેશા નાટ્ય કલા અને ભારતિય સંસ્કૃતિનો વારસો જાળવવા અથાગ પ્રયત્નો કરે છે.આ સમગ્ર ગ્રુપનું સંચાલન એક જાગૃત અને નિવૃત શિક્ષક *પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજા* કરે છે કે જે આપણા મોરબી જિલ્લા,ગુજરાત રાજ્ય અને સમગ્ર સંસ્કૃતિ માટે ગૌરવની વાત ગણી શકાય.

કોરોના સે ડરોના જાગૃતિ ટેલી ફિલ્મ

 माननीय, सर   

               विषय, चल रहे वैश्विक कोरोना महामारी के हिस्से के रूप में सार्वजनिक जागरूकता 

             माननीय श्री श्री, जैसा कि आप सभी जानते हैं, वर्तमान में कोरोना वायरस की महामारी चल रही है, स्थिति दिन-ब-दिन खराब होती जा रही है, लेकिन लोगों को जागरूक होना होगा और जागरूकता दिखानी होगी।                           इस तरह के उद्देश्य के लिए, उन्होंने सोचा कि भवई के माध्यम से एक जन जागरूकता अभियान चलाया जा सकता है,


क्योंकि भवई कला वर्षों से जन जागरूकता का एक माध्यम रही है, भवाई का स्थान ग्रामीण और शहरी क्षेत्रों में भी रहा है। और लोग भवई को एक दर्पण के रूप में पहचानते हैं    

                         भवाई कला समय-समय पर वास्तविकता दिखाने में सबसे आगे रही है         तो, हमने एक स्क्रिप्ट तैयार की है जिसमें दिखाया गया है कि चल रहे कोरो महामारी के खिलाफ लोगों को किस तरह की और कितनी सावधानी बरतनी चाहिए, जो आप साहेब को प्रस्तुत किए जाने का विनम्र अनुरोध है।


क्योंकि वर्तमान में ऐसी परिस्थितियां नहीं हैं जिन्हें छह महीने तक लाइव प्रोग्राम किया जा सकता है



निदेशक, श्री राजेशभाई एस व्यास,

पता-ध्रुवनगर, पोस्ट,, लाजई,, तांकारा, जिला, मोरबी, सौराष्ट्र ,, राज्य गुजरात, पिन ,,, 363641 





   मोबाइल नंबर, 7285036060

ई-मेइल- ajayvyas12131415@gmail.com

 ई-मेइल- vyasrajubhai32@gmail.com

બુધવાર, 10 ફેબ્રુઆરી, 2021

કલા ના કલાધરો ને વંદન

 કલા ના કલાધરો ને વંદન,,,,,,,,,,, 

         



કલા  ના રંગમંચ માં, કંઇક આવી ને કંઇક ગયા,

કોઇક પુણ્યશાળી આત્મા, જીવન પણ તરી ગયા,


કોઇક ખેલ માની ખેલી ગયા, તો કોઇ પાત્ર મહાન ભજવી ગયા,

કોઇએ મન થી માન્યાં મહાન, તો કોઇક અમર પણ થઇ ગયા,


હસાવ્યા ઘણા ને રડાવ્યા પણ ઘણા,અને લડાઇ ખુબ લડી ગયા,

વળી વિધ વિધ ભજવી વેષ, અને  ખેડા અનેક  ખપી ગયા,


સત્ય અને અસત્ય ની વાત,એ તો જાહેર ચોક માં પીરસી ગયા,

અંતે કલા ના એ વારસદારો, કલા ને સમર્પિત થઇ ગયા


રચના,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા 

ધ્રુવનગર, મોરબી




ભવાઇ એક ભક્તિ,,,,,,

 

ભવાઇ છે એક ભક્તિ,જેની ઉમિયા બહુચર શાખ,

વિપતે આવે દોડતી માઁ,અને રહેતી  સદાય સાથ,

 

સિંહ અસવારી શોભતી,એને આવતા લાગે વાર,

અજાણ્યા ઉતારા અમ તણા માઁ રક્ષણ કરતી હરવાર,

 

 

બહાર વાસનો વ્યવસાય અમારો,  તારા ઉપરાણા થી જ઼ થાય,

એક તારા વિશ્વાસે ફરતા અમે તેથી જ઼ મુસીબત થાય

 

તેલ ના દીવે તેજ પ્રકાશતી અને આપતી અમને ઉજાસ,

રાતદીન એક કરી ને અમે જગત ને આપ્યો વિશ્વાસ,

 

કુરિવાજો દૂર કરાવ્યા માડી, તારો જ઼ છે પ્રતાપ,

કાળા માથા ના માનવી અમે માડી અમારી શું વિસાત ?

 

ભવાઇ કેરી ભક્તિ અમારી અને તું જ઼ અમારી શક્તિ,

કરે ભાલા ના ઘા તો તું સોય ની અણી ઝીલતી

 

અનેક દાખલા છે તારી હાજરી ના છે ભવાઇ માં પ્રમાણ,

ભાવે ભાવે ભજીએ માડી તોય  તું જ઼ પુરતી પ્રાણ

 

બાળક અમારા નોધારા રઝળે માડી તું જ઼ એનો આધાર,

દેશ વિદેશ રઝળતા અમે કરી   નહીં ઘર ની અમે પરવાર

 

 

 

 

 

 

 

 

ભગવતીએ રાખી કાયમ લાજ,,,

 

ઔદીચ્ય બ્રહ્મકુળ દીપાવીયુ,

ગાયાં વેદ શાસ્ત્ર ના ગાન,

સંગીત અને સુર થકી જગતમાં

વધારી સંસ્કૃતિ કેરી શાન

ઈજ્જત બચાવી દીકરી તણી,

ત્યારે વટલાવી અમે જાત,

નાયક, ભોજક અને વ્યાસ પાસે

હતી ત્યારેય સત્ય ની વાત,

 

ભક્તિ કરી માઁ ભગવતી ની,

આપ્યા અમર વરદાન,

જાતર આપી એમને તારીયા

વળી વધ્યા જગમાં માન,

તેલ ના દીવે માં રક્ષણ કરે

રાખે ચાચર ની લાજ,

ભીડ પડે ભેગી રહે સદાય

મારી કુકડા વાળી માત,

 

સમાજ સુધારક જગે જાણ્યા,

કરતા કાયમ સાચી વાત,

નિરક્ષર થયા સાક્ષર સાબિત,

લોકો દિલ થી આપતા સાથ

સાશનો અનેક બદલતા રહ્યા,

જેમાં ભવાઇ રહી નેક,

દરેક યુગ નું માન્ય મનોરંજન

સ્વીકારતા સમાજ હરેક

 

આધુનિક યુગ માં ઉજાસ વધ્યો,

ભવાઇ ના પણ વધ્યા તેજ,

મનોરંજન જુના ઘણા લુપ્ત થયા

પણ ભવાઇ નું એક જ઼ તેજ

રાખી છે એમજ રાખજે માઁ

તારા બાલુડા કેરી લાજ,

ભવાઇ તેજ કાયમ અખંડ રહે

એવુ રાજેશ વિનવે આજ

 

 

 

 

 

 

 

 

રાગ,,,,,,,, ઉમિયાજી ને તાત અસાઈત સમરે

 

બહુચરાજી ને તાત અસાઈત સમરે ,

પુરુષ નું તત્વ માડી તમારા શરણે,

 

ભવાઈ નું વરદાન માઁ ઉમિયા આપીયું,

મનડું મારુ ત્યારે મૂંજાવા લાગીયુ,

બાળક ની રક્ષા કરવા ને કાજે,,,,,,,

બહુચરાજી ને તાત અસાઈત સમરે ,

પુરુષ નું તત્વ માડી તમારે શરણે, 

 

ચૂડી ચાંદલો ને ઝાંઝરી નો ઝણકાર

દિલ માં થાયે માઁ જુદો કાંઈ  રણકાર,

વંશવેલો અમર રાખવા અમારો,

બહુચરાજી ને તાત અસાઈત સમરે,

પુરુષ તત્વ માડી તમારે શરણે,

 

વરદાન આપીયું બહુચરાજી માં

ચૂંદડી ઓઢી ને વધાવજો બાળ ને,

અમર વંશ વેલો રાખું તમારો, 

બહુચરાજી ને તાત અસાઈત સમરે,

પુરુષ નું તત્વ માડી તમારે શરણે, 

 

રાજેશ ગુણલા ગાયે ભવાઈ ના,

આશિષ ઉમિયા બહુચરાજી  માત ના,

ચાચર ના ચોક માં રમવા માઁ આવતા,

બહુચરાજી ને તાત  અસાઈત સમરે, 

પુરુષ નું તત્વ માડી તમારે શરણે,

 

 

 

 

 

 

જય માતાજી,, જય અસાઈત,,

 

સદીઓ થી ઝળહળતી દિવ્ય જ્યોત એટલે લોક ભવાઇ,,,,,,,,

 

 

          લોક ભવાઇ અસાઈત દાદા  દ્વારા પ્રગટાવેલ એક એવી અખંડ દિવ્ય જ્યોત છે કે ચૌદમી સદી થી આજ એકવીસમી સદી સુધી સતત એકધારી ભવાઇ કલા, કલાકારો અને દરેક સમાજ ને પ્રકાશ અને ઉર્જા પુરનારી સંસ્કૃતિ અને કલા માહીની માત્ર એક કલા હોય તો તે છે  લોક ભવાઇ

     ચૌદમી સદી થી આજ સુધી માં કંઈક શાસનો ફેરફારો થયા , કઈક સતાઓ બદલાણી હશે, મોગલો નું શાસન, અંગ્રજો નું શાસન, રજવાડાઓ નું શાસન,  લોકશાહી માં પણ અનેક સતાઓ નો બદલાવ આવ્યો હશે

           પરંતુ લોક ભવાઇ ને દરેક શાસન માં પ્રોત્સાહન મળ્યું છે હાલ માં લોકો માં માન સન્માન

સાથે ભવાઇ નું ખુબ જ઼ મહત્વ છે

     લોક ભવાઇ એક એવી હરતી ફરતી યુનિવર્સીટી અને ઝળહળતી દિવ્ય જ્યોત છે કે જેના થકી અનેક પરિવારો ના જીવન માં નવો પ્રકાશ, નવી ઉર્જા અને નવું જીવન મળ્યું છે

                                  ભવાઇ થકી  દીકરી ના વેચાણ જેવા  કુરિવાજો ઉપર પ્રકાશ પાડવા માં આવ્યો પરિણામ સ્વરૂપે દીકરી ના વેચાણ બંધ થયા

અંદરોઅંદર ના કુસુંપો પણ ભવાઇ દ્વારા દૂર કરી ઘણા પરિવાર માં નવા પ્રાણ પુરવા માં પણ ભવાઇ નું યોગદાન રહ્યું છે

અજ્ઞાન અને અંધકાર રૂપી કુ રિવાજો સામે ભવાઇ ની દિવ્ય જ્યોત પ્રગટાવી લોકો ના જીવન માં ઉજાસ પાથરવા નું અણમોલ કાર્ય ભવાઇ દ્વારા થયું છે 

     ભવાઇ ની દિવ્ય જ્યોત સદાય ઝળહળતી રહે તેવી માતાજી ને પ્રાર્થના,,,,

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભવાઈગીત,,,,, હાલરડું

 

મારે આંગણીયે અસાઈત બાળ રમે,

અસાઈત બાળ રમે, ઉમિયા માઁ ને ગમે,,,,

અસાઈત બાળ રમે, ભૂંગળ નાદ કરે,

મારે આંગણીયે અસાઈત બાળ,,

 

ચૂડી ને ચાંદલિયો, માઁ ને ચૂંદડી ચડે,

માઁ ને ચૂંદડી ચડે, ઘૂઘરા બહુ રે ઘૂમે,

મારે આંગણીયે અસાઈત બાળ,,,

 

ઉમિયા બહુચર નું, નાયકો ઓઢણું ઓઢે,

નાયકો ઓઢણું ઓઢે, માઁ ની જાતર કરે,

મારે આંગણીયે અસાઈત બાળ,,

 

ભક્તો પ્રસાદ ધરે, બ્રાહ્મણો ભોજન કરે,

બ્રાહ્મણો ભોજન કરે, અંતર આશિષ ભણે,

મારે આંગણીયે અસાઈત બાળ,,,

 

યજમાન આંગણીયે, રાજેશ લાડ કરે

રાજેશ લાડ કરે, માઁ ને ચરણે નમે,

મારે આંગણીયે અસાઈત બાળ,

 

 

 

 

 

 

 

 

 

આવો જાણીએ ભવાઇ વિશે અવનવી રસપ્રદ વાતો,

ભવાઇ એક એવી ભાતીગળ લોક કલા છે જેની ઉત્પતી ચૌદમી સદીમાં થયેલ અને તમામ સૈકા માં લોકોએ સ્વીકારી અને હાલ એકવીસમી સદીમાં પણ ભવાઇ સવાઈ સાબિત થઇ છે

ભવાઇ નું સંગીત લોકોને તમામ પ્રકાર ના સંગીત થી અલગ પ્રકાર નું અને શ્રેષ્ઠ લાગે છે,

ભવાઇ કલા લોકો ના માનસ ઉપર સીધી અસર કરે છે જેના અનેક દાખલા આપણ ને ભવાઇ ના  ઇતિહાસ માં જોવા અને જાણવા મળે છે

માણસ ના માનસ પટ ઉપર સીધી અસર કરતા, અંદરોઅંદર ના કુસુંપો, દીકરી ના વેચાણ, વ્યસન, તેમજ ઘણા પ્રકાર ના કુ રિવાજો ભવાઇ ના માધ્યમ થી દૂર થયા ના અનેક દાખલા છે

ભવાઇ સમાજ સુધારણા  અને જન જાગૃતિ માં ખુબ મોટુ યોગદાન આપ્યું છે અસાઈત ઠાકર ને સમય ના આદ્ય શિક્ષણકાર તરીકે ઓળખવા માં આવે છે

ભવાઇ માતાજી ની ભક્તિ હોવાથી લોકો ના અનેક પ્રકાર ના દુઃખ દર્દ દૂર કરવાના પણ અસંખ્ય દાખલા ભવાઇ માં છે

દીકરી ની આબરૂ અને ઈજ્જત બચાવવા માટે ના અનેક બલિદાન ના દાખલા પણ છે પરંતુ એક દીકરી ની આબરૂ ખાતર જો કોઇ એક આખા સમાજ નું બલિદાન હોય તો માત્ર નાયક ભોજક વ્યાસ જ્ઞાતિ  ( અસાઈત વંશજો ) નું છે

ભવાઇ ની ઉજળી કલા પીરસતા પીરસતા પોતાના યજમાન ના હિત ખાતર પાળિયા થઇ ગયા ના ઇતિહાસ પણ મોજુદ છે

ભવાઇ કલાકારો નો ચાહક વર્ગ ત્યાં સુધી નો છે કે છેલ્લી અવસ્થા માં છેલ્લા શ્વાસ છોડતા પહેલા ભવાઇ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે જે આજ સુધીના ઇતિહાસ માં બીજી કોઇ કલા માં લગભગ શક્ય નથી

 

આવી અનેક રસપ્રદ ઘટનાઓ થી ભરપૂર છે લોક ભવાઇ

વધુ આવતા અંક માં,,,,,

 

 

 

 

 

ભવાઈ નું ગૌરવ ભૂલીએ,

 

નાયક, ભોજક, વ્યાસ જ્ઞાતિ ને રાજેશભાઇ કુકરવાડિયા ની વિનમ્ર અરજ

ભવાઈ ગૌરવ વિસરીએ,

 

મ્હેર છે માતાજી ની, ભલે સુખ સંપત્તિ માં આળોટીએ, બદલાય રહ્યો છે સમય, ભલે સમય સાથે તાલ મિલાવી  

પણ ભવાઈ ગૌરવ વિસરીએ

 

ઉચ્ચ એજ્યુકેશન મેળવો, ડિગ્રી મેળવો મોટી, પ્રગતિ ના પંથે ડગ ભરો, ભલે વ્યવસાય કરો મોટા

પણ ભવાઈ ગૌરવ વીસરીએ

 

જન્મ થયો જે જ્ઞાતિ માં એનું રુણ કેમ ભૂલીએ,

ભલે આવે અનેક પડકારો પણ

ભવાઈ ગૌરવ વીસરીએ,

 

ઔદીચ્ય બ્રહ્મકુળ, છઠું પદ સોહાવતાં, આબરૂ રાખી દીકરી તણી  ઉજળો છે ઇતિહાસ

ભવાઈ ગૌરવ વીસરીએ

 

ભગવતી જેમાં ભેળી રહે, એવો વ્યવસાય ક્યાં નિહાળીએ ? હજુ પણ ઉપરાણું છે ઈશ્વરી તણું

ભવાઈ ગૌરવ વીસરી

ભવાઈ એટલે શું ?

 

માતાજી  પ્રસન્ન જેમાં થાય

અમારી ભવાઈ

જે કલા એકમાત્ર વરદાય

અમારી ભવાઈ

દાદા અસાઈત ગુણલા ગાય

અમારી ભવાઈ

ભક્તિ ભગવતી ની થાય

અમારી ભવાઈ

જાતર માતાજી ની ગણાય

અમારી ભવાઈ

 

જેમાં જોનારા ની સવાઈ

અમારી ભવાઈ

જે માં કલા સર્વ સમાય

અમારી ભવાઈ

 

જે માં અભદ્ર બોલાય

અમારી ભવાઈ

 

સહ પરિવાર સાથે જે જોવાય

અમારી ભવાઈ

માધ્યમ જનજાગૃતિ નું ગણાય

અમારી ભવાઈ

 

સમાજ સુધારા માં વખણાય

અમારી ભવાઈ

 

ગુણ જેના વિશ્વ માં ગવાય

અમારી ભવાઈ

 

ઇતિહાસ ઉજળો કહેવાય

અમારી ભવાઈ

 

દર્શન સંસ્કૃતિ ના થાય

અમારી ભવાઈ

 

કોઈ થી તોલી તોલાય

અમારી ભવાઈ

 

રાજેશ ભવાઈ આજે છે સવાઈ

અમારી ભવાઈ

 

 

 

 

મને ગૌરવ છે વાત નું, કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

ઔદીચ્ય બ્રાહ્મકુળનો,વેદ શાસ્ત્ર નો જ્ઞાની છું,

કર્મ કાંડ જાણનારો,હું છઠા પદ નો બ્રાહ્મણ છુ,

       મને ગૌરવ છે વાત નું કે હું,અસાઈત કુળ નો વંશજ છુ,

વેદ શાસ્ત્ર નું જ્ઞાન ,સંગીત સાથે ગાનારો છુ,

સત્ય વાત સંસાર માં,હું પ્રેમ થી પિરસનારો છુ,

      મને ગર્વ છે વાત નો કે, હું અસાઈત કુળ વંશજ છુ

 

તેરમી સદી ના ત્રાસ ને  ખુબ   નજીક થી જાણનારો છુ

મોગલો ના વટ સામે, હું આસને બિરાજનારો  છુ,

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

આબરૂ રાખવાબેન દીકરી ની સામે પુરે ચાલનારો છુ ,

વટલાવી અમ જાત ને, હું  ઠાકર કુળ બ્રાહ્મણ છુ,

      મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

પત રાખી પાટીદાર ની,લાજ શિયળ ની રાખનારો છુ

છૂત અછૂત ના જમાના નો, હું નીડર એક સાવજ છુ,

       મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

વટલાયો હું ગર્વ ભેર, ઉંઝા માં વસનારો  છુ,

ત્રિધરા માંથી તેર ઘરા નો, હું નાયક, ભોજક, વ્યાસ છુ,

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

પૂજા પાઠ ભક્તિ થી, માઁ ઉમિયા ને પૂજનારો છુ,

હૃદય વસે માઁ ભગવતી, હું વચન થી  બંધાણો છુ,

       મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

કુળદેવી પાટીદાર ની, વરદાયિની ને ભજનારો છુ ,

ઉદ્ધારવા મુજ સંતાન ને,હું જાતર અપાવનારો છું

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ વંશજ છુ,

ભવાઈ આપી ભવ તરવા, ચૂડી ચાંદલો,ચૂંદડી સંગાથ છુ,

ભૂંગળ વગાડી ચાચર ચોક માં હું ભક્તિ થી ભજનારો છુ,

         મને ગર્વ છે વાત નું કે હું અસાઈત કુળ વંશજ છુ,

ત્રણસો સાઈઠ વેષ લખી,મતભેદો મિટાવનારો છું 

મતભેદો જગત ના હું, અનેક મિટાવનારો છુ,

         મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

ગામડા ના ગોંદરે થી, દેશ વિદેશ  માં ડંકો વગાડનારો છુ,

ભવાઈ થકી ભવ તરવા જગત ને હું જ્ઞાન પીરસનારો  છુ,

            મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

મનોરંજન ની દુનિયા માં, સંસ્કૃતિ ગજાવનારો છું,

ભવાઈ ને કરી સવાઈ ,હું કલા જગત માં રોજ વસનારો છુ

મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

કલા નો વારસો આજ પણ શ્રેષ્ઠ છે,એથી હું કલાકાર શ્રેષ્ઠ છુ

આવો સૌ મિલાવો હાથ,કહો હું  નાયક, ભોજક વ્યાસ છુ,

         મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છું

સત્ય બતાવવા સમાજ ને રાત દિવસ મથનારો છું

વિકાસ કરવા સમાજ નો,આખર હું અસાઈત વંશજ એક છુ

મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

 

 

 

 

 

સમસ્ત વ્યાસ નાયક ભોજક જ્ઞાતિ નું ગૌરવ,,,,,અસાઈત દાદા

 

આજના આધુનિક અને ટેક્નોલોજી ના યુગ માં પણ ભવાઈ સવાઈ કઇ રીતે છે રહ્યા નક્કર કારણો

 

        અસાઈત દાદા ની ભવાઈ કલા અને ભવાઈ કલાકારો સમાજ ને શું આપ્યુ ?

 

                      આજ થી આશરે સાડા સાતસો વરસ પહેલા જયારે જયારે મનોરંજન અને લોક જાગૃતિ ના કોઈ માધ્યમો હતા એવા સમય માં ભવાઈ દ્વારા ગામડે ગામડે મનોરંજન ની સાથે સાથે જાગૃતિ નો સંદેશ આપતા

               અંધશ્રદ્ધા, કુ રિવાજો, વ્યસનો, અંદરોઅંદર ના કુસુંપો અને અનેક પ્રકાર ના દુષણો દૂર કરવા માં ભવાઈ નો મહત્વ નો ફાળો રહ્યો છે

        લોકો ખોટી સંગત અને બદીઓ થી દૂર રહેવા ભવાઈ ના પાત્રો થકી જેવું હોય એવુ સમાજ ને બતાવ્તા,

                                  એટલે કે એક સમય માં ભવાઈ એક દર્પણ તરીકે ઓળખ થઇ અને આજે પણ દર્પણ ની ભૂમિકા આપી રહ્યું છે

               વિષે લેખ તો ઘણો મોટો લખ્યો છે મેં પણ અહીં ટૂંક માં રજુ કરું છું

 

પુરુષ ને થવું સ્ત્રી, હતું ઘણું મુશ્કેલ જીવન માં,

તોય ઓઢણી ઓઢી અમે ઘૂમ્યા ચાચર ચોક માં

 

આશિષ ઉમિયા બહુચર ના, અમ તણા પરિવાર માં,

નહીં સંસારી કે સન્યાસી એવુ જીવન જીવવું વ્યવસાય માં

 

સ્વતંત્ર મટી પરતંત્ર થયા, હતી દીકરી બચાવ ની નેમ,

પત રાખવી પટેલ ની, જેના દિલ માં હતી નેમ,

 

ભજી ઉમિયા ભાવ થી, જેના અમર રહ્યા વરદાન,

ભવાઈ થકી ભવ તારીયા માઁ ઉમિયા નો ઉપકાર

 

માઁ, બહેન, દીકરી સાથે હોય સઘળો પરિવાર

સાથે બેસી સૌ જોઈ શકે, જ઼ સૌથી મોટુ પ્રમાણ 

 

નાત જાત ના ભેદ, અને દુષણો હતા અનેક,

સત્ય બતાવે સમાજ ને, એવુ માધ્યમ ભવાઈ એક

 

ધરા, ધરમ ની વાત કરી, ગાયા ભગવત ના ગાન,

ચાચર તણા ચોક માં, વધાર્યા સંસ્કૃતિ ના માન,

 

સાખી શબ્દો થી શરૂઆત,

આજે ઉત્તમ રીતે થાય છે,

માઁ ભગવતી ની આરાધના,

જેમાં રોજેરોજ થાય છે

 

ભરથરી અને ગોપીચંદ, માળવા છોડી જાય,

પણ ધુતારા ધૂતી ખાય, વાત એની ગાવણા માં થાય,

 

વિઘ્ન હર્તા દેવ ગણેશ આશિષ આપી જાય,

પ્રભાત ના પહોર સુધી ભવાઈ મોજ થી ભજવાઈ

 

બાદશાહ બતાવે શાન, ડાગલા તણા વેષ માં,

અભિનય થકી આપ્યો સંદેશ

ભવાઈ તણા વેષ માં

 

પતિ ભટકે અહીં થી વિલાસી જીવન મહીં,

પણ ભાર્યાં તણા ભાવ, વેચે મહિયારી બની મહીં,

 

ઝંડો અને પુરબીયા ભજવ્યા અમે

વણજારા ના વેષ

રાહ બતાવવા સમાજ ને જેણે આપ્યા અનેક સંદેશ,

 

જયારે કજોડા નો વ્યાપ વધ્યો જગત મા

શાન લાવવા લોકો ની પિરસયા કજોડા ના વેષ ચોક માં,  

 

વધ્યા અંદરોઅંદર ના કલેશ ત્યારે  ભજવ્યો પૃથ્વીરાજ નો વેષ,

સત્ય પીરસી સમાજ માં ઘણા મીટાવ્યા કલેશ,

 

દીકરી ના વેચાણ જયારે જગ જાહેર વાત

કુ રિવાજો દૂર કરવાની કરી ભવાઈ દ્વારા વાત

 

સંત સુરા અને સપૂત ભજવીયા દાતારો ના પાઠ,

કંઈક ખેડા ખપી ગયા, કરતા સુરાતન ના પાઠ,

 

સત્ય બોલવું જીવન માં, ત્યજવા રાગ ને દ્રેશ,

ખટ પટ ખોટી નહીં કરવા બતાવ્યો હરિચંદ્ર નો વેષ,

 

જ્ઞાન અને સંગીત માં જેને ગાયા  ખુબ જ઼ ગુણ,

યુગ પુરુષ દાદા અસાઈત નું નહીં ચૂકવી શકીએ રુણ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...