લુપ્તથતી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો, તે તમામ માહિતી અહિ જાણવા મળશે... જય આસાઈત દાદા ,
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024
સંસ્કાર વિભૂષણ એવોર્ડ
કલાનું ગૌરવ...અસાઇત ભવાઈનું ગૌરવ...
સંસ્કૃતીની ધરોહર ભવાઈ કલાના સાધક પ્રાણલાલ બી.પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનાં કલા સાધકોને સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા*
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ “મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ ૨૦૨૪” નું ભવ્ય આયોજન કર્ણાવતી ક્લબ-અમદાવાદ ખાતે થયેલ.જેમા રાજ્યના સન્માનિય રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેલ તેમજ ઋષિકેશભાઈ પટેલ-.મંત્રી, મુળુભાઈ બેરા – મંત્રી તેમજ રાજ્ય અને ભારત ભરના મહાનુભાવો દ્વારા કલારત્નોને સન્માનીત કરવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વ પ્રખ્યાત “સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ”ના નાયક અને લોક કલાના સાધક
પ્રાણલાલ બી. પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે મોરબી સમગ્ર જિલ્લા અને ગુજરાતની કલા માટે ગૌરવવંતી વાત છે.
તેઓ નિવૃત શિક્ષક છે અને સાથે-સાથે ભારતીય સંસ્કૃતીની કલા એવી ભવાઈ કલાને જાગૃત રાખવા સતત તત્પર રહે છે.
ઉપરાંત આ મંડળ અનેક સન્માનોથી સન્માનિત થયેલ છે, જેમકે “ગૌરવ પુરસ્કાર, કોકનટ થિયેટર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, NSD દિલ્હી એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને મહાનુભાવો. ઇન્દિરા ગાંધીજી, અટલજી, મોરારજી દેસાઈ, મોરારી બાપુના હસ્તે સન્માનીત થયેલ.
નાગાર્જન ડાંગર
“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરાળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...
-
અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો... તથા અન્ય વેશ.... નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે. સમયગાળો ઇ.સ.( 1320-1400) ...
-
ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ About Bhavai Bhungal... લોક ભવાઇનું મુખ્ય વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાક...
-
🎞️નાટકના નામ ઉપર ક્લિક કરો.👇👇 રામરાજ્ય અને લવકુશ રામવનવાસ અને લંકા વિજય ભિષ્મ પ્રતિજ્ઞા બિલ્વ મંગલ અધુરા મિલન અને રાણો કું...