રવિવાર, 30 જાન્યુઆરી, 2022

હરિભાઈ વ્યાસની ચિર વિદાય




 ગુજરાતની પોતીકી કલા એટલે ભવાઈ કલા જેમાં પુરુષ જ સ્ત્રીપાત્ર ભજવે પણ શું મજાલ છે, કે કોઈ કળી જાય કે આ પુરુષ છે તેવું સ્ત્રીપાત્ર કરે તેનાં લટકા મટકા પ્રેક્ષકોના મન મોહિલે તો ભરપૂર મનોરંજનને સમાજ દર્પણ તેની બદીઓ દારૂબંધી કે ધુમ્રપાન કે અન્ય બદીઓ વિશે સમાજમાં જાગૃતતા લાવે તો ઇતિહાસિક નાટકો ભજવે આવી ભવાઈ કલાના ભીષ્મપિતા સમા હરિભાઈ કાનજીભાઈ પૈજા તેઓ 14 વર્ષની નાની વયેજ ભવાઈ કલામાં જોતરાઈ ગયા હતા મોરબી જીલ્લાનાં ખાખરાળા ગામનાં વતની તેઓ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના નાયક હતા તેઓ રાવણનું પાત્ર ભજવે ત્યારે ધરતી ધ્રુજાવેને તેની વિકરાળ ભાષાથી ઓડિયન્સ થોડી વાર વિચારમાં પડી જાય આવા અદ્ભૂત કલાકાર હરિભાઈ વ્યાસ અભણ હતા છતા તમામ ડાયલોગ મોઢેજ હોય આથી તેઓ ભવાઈ કલાને દેશને વિદેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાન વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશમાં ભવાઈ કલા બતાવી આજીવન ભવાઈ કલાને જીવંત રાખવા માટે પ્રયાશો કરેલને તેમની ભવાઈ કલાથી ઘણાં સન્માનો મળેલ તેવા ભવાઈ કલાકાર હરિભાઈ વ્યાસ તા, 26/01/2022 ના રોજ ફાની દુનિયા છોડી સ્વર્ગવાસ સિધાવ્યા છે તેની પાછળ તેમનાં સુપુત્ર ભવાઈ કલાના સુપર સ્ટાર વિક્રમ વ્યાસ આ ભવાઈ કલાને ચોક્કસ આગળ ધપાવશે તેમ છતા હરિભાઈની ખોટ તો આજીવન રેશે. હરિભાઈ વ્યાસની જીવન ઝરમર આજના ફૂલછાબના તંત્રી Kaushik Mehta એ  ભાટી એન પાસે આલેખન તસવીર સાથેનો વિસ્તૃત આર્ટકલ વાંચો... તસવીર આલેખન : ભાટી એન. 

નોંધ... હું ને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ખુબ હરિભાઈની ભવાઈ કલા માણી છે, આથી હું ભાટી એન. અને જોરાવરસિંહ જાદવ તહેદિલથી હરિભાઈને શ્રદ્ધાજલિ આર્પીએ છીએ 🙏🙏🙏. ૐ નમઃ સિવાય.

નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...